Home> Gujarat
Advertisement
Prev
Next

કોણ છે અર્પિત સાગર? ગુજરાતના મહિલા IAS ઓફિસર ખાડા માટે દંડ ફટકારીને ચર્ચામાં આવ્યા

IAS Arpit Sagar News: કલેક્ટર IAS અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા. રાજયના મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને NHAIના અધિકારીઓને ફટકાર્યો દંડ

કોણ છે અર્પિત સાગર? ગુજરાતના મહિલા IAS ઓફિસર ખાડા માટે દંડ ફટકારીને ચર્ચામાં આવ્યા

IAS Arpit Sagar News: મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના વતની IAS અધિકારી ગુજરાતમાં પોતાની કડક શૈલી માટે ચર્ચામાં આવ્યા છે. કલેક્ટર તરીકે તેમણે અમદાવાદ-ગોધરા હાઇવે પર ખાડાઓ માટે NHAI અધિકારી પર દંડ ફટકારીને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. અર્પિત સાગર થોડા મહિના પહેલા મહીસાગર જિલ્લાના કલેક્ટર બન્યા હતા.

fallbacks

ગુજરાત રાજ્યમાં 33 કલેક્ટર છે, આવામાં તાજેતરમાં નિયુક્ત કરાયેલા IAS અર્પિત સાગરે કડક કાર્યવાહી કરીને ચર્ચામાં આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના અર્પિત સાગરે અમદાવાદ-ગોધરા નેશનલ હાઇવે (NH47) પર ખાડાઓ માટે NHAI અધિકારી પર દંડ ફટકાર્યો છે. અર્પિત સાગર હાલમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર છે. તેમણે મહિસાગર રોડ સેફ્ટી કમિટી હેઠળ આ કાર્યવાહી કરી છે. હાઇવે પર ખાડાઓને કારણે તેમણે 18 જૂનથી 7 જુલાઈ સુધી દરરોજ 500 રૂપિયા દંડ ફટકાર્યો છે.

આખી સરકાર રાજીનામું આપે અને પછી ચૂંટણી કરાવો! AAP નેતા પ્રવીણ રામની સરકારને ચેલેન્જ

ગુજરાતના પ્રથમ IAS
આવી કાર્યવાહી કરનાર તે રાજ્યના પ્રથમ IAS છે. નોંધનીય છે કે અર્પિત સાગરનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળના માર્ગ અને પરિવહન મંત્રાલયે તાજેતરમાં જામનગર-અમૃતસર હાઇવે પર તૂટેલા રસ્તા માટે પાલનપુરના પીડીને સસ્પેન્ડ કર્યા હતા. તેને બનાવનાર કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. કલેક્ટર અર્પિત સાગરે કહ્યું છે કે જ્યાં સુધી ખાડા ભરાય નહીં ત્યાં સુધી દંડ વધતો રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કલેક્ટરે NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર પર દંડ લાદ્યો છે. ડિસેમ્બર 2024માં અર્પિત સાગરને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ IAS શાલિની અગ્રવાલને શ્રેષ્ઠ કલેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

અર્પિત સાગર કોણ છે?
મહિસાગર જિલ્લાના કલેક્ટર બનતા પહેલા અર્પિત સાગર વડોદરામાં પોસ્ટેડ હતા. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર હતા. તેઓ નેહા કુમારીની જગ્યાએ મહિસાગર જિલ્લામાં પોસ્ટેડ હતા. 2015માં UPSC પરીક્ષા પાસ કરીને IAS બનેલા અર્પિત સાગર, વલસાડના DDO પણ રહી ચૂક્યા છે. અર્પિત સાગરના લગ્ન છત્તીસગઢમાં રહેતા વિપુલ તિવારી સાથે થયા છે. અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના છે. અર્પિત સાગરે NIT પ્રયાગરાજથી B.Tech કર્યું છે. આ પછી, તેમણે UPSC પરીક્ષા પાસ કરી.

સાબર ડેરીની બહાર પશુપાલકો વિફર્યા, ટોળું વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છેડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More