Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ખોડલધામથી આવ્યું મોટું નિવેદન

Khodaldham On Beating Patidar Minor Boy : ગોંડલમાં સગીર યુવકને માર મારવાનો મામલો... ખોડલધામે ઘટનાને દુઃખદ અને અમાનવીય ગણાવી... સમાજના રાજકીય આગેવાનોને આગળ આવવાની અપીલ... દીકરાને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરશે ખોડલધામ

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ખોડલધામથી આવ્યું મોટું નિવેદન

Rajkot News : ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલો તૂલ પકડી રહ્યો છે. ત્યારે આ મુદ્દે સૌરાષ્ટ્રના પાટીદારોની સંસ્થા ખોડલધામ દ્વારા પ્રતિક્રીયા આપવામાં આવી છે. 

fallbacks

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું કે, સગીર સાથે જે બન્યું છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. નિર્દોષ દીકરા ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે. આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે. ઘટનાને લઈને પાટીદાર સમાજ સાથે સર્વ સમજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. ત્યારે સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઈએ. તેમજ આ પ્રકારની ઘટનાને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. 

  • કેમ 'ટોક ઓફ ટાઉન' બન્યું છે ગોંડલ?
  • ગોંડલમાં હવે પાટીદાર VS કોણ?
  • પાટીદાર યુવાનને કોણે માર્યો માર?
  • કેમ પાટીદારોએ આપ્યું બંધનું એલાન?
  • પાટીદાર અગ્રણીઓ શું બોલ્યા?

ગોંડલમાં 17 વર્ષીય સગીર અને તેના પરિવારને માર મારવાનો મામલો ગોંડલમાં રાજકીય મુદ્દો બન્યો છે. ખાનગી હોસ્પિટલ ખાતે ભોગ બનનાર અને તેના પરિવારજનો સાથે જયેશ રાદડિયા અને ભરત બોઘરા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે ભોગ બનનારના પરિવારજનો તેમજ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર મામલામાં ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવશે. બનાવ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. પાટીદાર પરિવાર સાથે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ અને નીંદનીય છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત સરકારમાં કરાશે. 

ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારતા સમાજમાં રોષ
આ ઘટના મુદ્દે પાટીદાર આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી છે. પાટીદાર અગ્રણી ધર્મેશ બુટાણીએ જણાવ્યું કે, અમારા પાટીદાર સમાજમાં 5 એવા આગેવાનો છે જે માત્ર સમાજનો ઉપયોગ કરે છે. દર વખતે આ આગેવાનો સમાજને ભયભીત કરે છે તેથી સમાજ આખો ગુમરાહ થાય છે. આ પાંચેય આગેવાનોને સમાજ પણ ઓળખે છે માટે નામ આપવાની જરૂર નથી. ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની વસ્તી 80 ટકા છે. ગોંડલા તાલુકામાં પાટીદાર સમાજની ટિકિટ મળતી નથી. આગાઉ આશિષ કુંજડિયાને મારની ઘટના બની ત્યારે પણ આગેવાનો ચુપ રહ્યાં છે. 5 આગેવાનોના કારણે ગોંડલમાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ મળતી નથી. અમારી એક જ માંગ છે આ બની બેઠેલા આગેવાનોને સમાજ ઓળખે. 

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર આવ્યું મોટું સંકટ, યુવાઓને બચાવવા સમાજ આવ્યો વ્હારે

fallbacks

ગોંડલ મામલે પાટીદારોમાં રોષ કેમ?
પાટીદાર સમાજના એક યુવકને લાકડીથી કેટલાક યુવાનોએ માર મારવાની ઘટના બની હતી. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ માર મારનારા આરોપીને પોલીસે ઝડપી લીધા છે. જેની ધરપકડ કરાઈ તેમાં મયુરસિંહ ઝાલા, દર્શનસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. જ્યારે મયુરસિંહ સોલંકી નામનો આરોપી ફરાર થઈ ગયો છે. આ જ ઘટનાને કારણે પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ ગોંડલ પહોંચી રહ્યા છે. જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ પણ ગોંડલ પહોંચીને ઘટનાને દુઃખદ ગણાવી. 

ગોંડલ બન્યું છે મિર્ઝાપુર?
છેલ્લા કેટલાક સમયથી ગોંડલ સતત ચર્ચામાં રહે છે. હજુ તો રાજકુમાર જાટના મોત મામલે મૃતકના પિતાએ CBI તપાસની માગ કરી છે. આ વિવાદ શમ્યો નથી. ત્યાં ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારવાનો કિસ્સો સામે આવતાં જ પાટીદાર સમાજ લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. ગોંડલમાં બેઠકો પર બેઠકો થઈ રહી છે, ગોંડલ બંધનું એલાન અપાયું છે. પાટીદાર આગેવાનો ગોંડલ મામલે આકરા તેવર બતાવી રહ્યા છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર છે. સાથે જ ગુજરાતમાં ગુંડાઓની જે યાદી તૈયાર કરાઈ છે તેના પર પણ સવાલો ઉઠાવ્યા. 

ગોંડલ ટોક ઓફ ટાઉન બન્યું 
દિનેશ બાંભણિયાએ પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માગ કરી છે...બીજી તરફ રાજકુમાર જાટ મામલે ગણેશ જાડેજાના સમર્થનમાં કેટલાક પોસ્ટરો ફરતાં થયા છે...જેમાં આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખવામાં આવ્યું છે...હાલ ગોંડલ ટોક ઓફ ટાઉન બન્યું છે. ઘટનામાં સત્ય શું છે એ તપાસનો વિષય છે પરંતુ હાલ ગોંડલ પર રાજનીતિ પુરજોશમાં થઈ રહી છે...જોવાનું રહ્યું કે આ લડાઈ ટિકિટની છે કે અન્ય?...જોવું રહ્યું કે આગળ શું થાય છે.

મિલકત દસ્તાવેજની નોંધણી અંગે સરકારનો મોટો નિર્ણય, હવેથી ફરજિયાત કરવું પડશે આ કામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More