Visavdar Byelection : વિસાવદરની બેઠક પર કિરીટ પટેલનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. કિરીટ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે ભાજપને આ વખતે વિસાવદર હાથમાં આવે તેવી આશા છે. જો અહી જીત થઈ તો ભાજપનો 18 વર્ષનો વિસાવદરના સંન્યાસનો અંત આવશે. પરંતું કિરીટ પટેલને ઉમેદવાર પસંદ કરીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે.
ભાજપે જેને લાવ્યું એને સાઈડલાઈન કર્યાં
ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યાં સુધી કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં નહોતી આવી ત્યાં સુધી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડીયાનું તેમજ આમ આદમી પાર્ટી તેમજ ધારાસભ્યનું પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ભુપત ભાયાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ આખરે કિરીટ પટેલના નામની જાહેરાત થતા તમામ અટકળોનો અંત આવ્યો હતો. પરંતું આ એ જ કિરીટ પટેલ છે, જેને અગાઉ કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ હરાવ્યા હતા. 2017માં કોંગ્રેસના હર્ષદ રિબડીયા આ બેઠક જીતી હતી, પરંતુ 2022 ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીએ આ બેઠક પર જીત મેળવી, જેમાં તેમણે ભાજપના હર્ષદ રીબડીયા અને કોંગ્રેસના કરશન વડોદરિયાને હરાવ્યા હતા. આમ, કિરીટ પટેલ વર્ષ 2017 ની ચૂંટણીમાં હારી ચૂક્યા છે, છતાં ભાજપને તેમને ટિકિટ આપી છે. કિરીટ પટેલે પાર્ટીને એવું તો શું કહ્યું કે, રીબડીયા અને ભાયાણીને સાઈડલાઈન કરીને ભાજપે તેમને ટિકિટ આપી.
દિલીપ સંઘાણીનો યુ-ટર્ન, અમરેલી SP માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેંચ્યા
કિરીટ પટેલ ફરી પિક્ચરમાં
કિરીટ પટેલે વિસાવદરની પેટાચૂંટણીમાં ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવ્યું હોવાનું કહેવાય છે. કિરીટ પટેલને પિક્ચરમાં લાવવામાં ભાજપે પણ જબરી ગેમ કરી છે. ટિકિટ મેળવવામાં કિરીટ પટેલ માસ્ટરમાઈન્ડ નીકળ્યા છે. ભાજપ ભાયાણીને લાવ્યું તો વચન આપ્યુ હતું કે, પેટાચૂંટણીમાં એ જ ઉમેદવાર હશે. પરંતું કિરીટ પટેલે ટિકિટ માટે છેક દિલ્હી સુધી લોબિંગ કરવામાં કઈ બાકી ન રાખ્યું. ભાજપે કિરીટ પટેલને સ્પષ્ટ કહ્યું કે, જો ટિકિટ જોઈતી હશે તો ભાયાણીને મનાવો. જેથી કિરીટ પટેલે ભાયાણીને મનાવ્યા હતા. સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓએ મધ્યસ્થીનો રોલ ભજવ્યો, જેના બાદ ભાયાણી માન્યા હતા.
ભાયાણી પણ ભોંઠા પડ્યા
ભૂપત ભાયાણી વિસાવદરમાં બરાબરના સાઈડલાઈન થયા છે. ત્યારે તેમને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે આ સીટ સ્વયં છોડી છે કે પાર્ટીએ તેની ટિકિટ કાપી છે, તેના જવાબમાં ભુપતભાઈ એવો પ્રત્યુતર આપ્યો હતો કે તેમણે તેના મોટાભાઈ સમાન કિરીટ પટેલ માટે સ્વયંમ ખસી જવાનો નિર્ણય કર્યો હતો. પરંતું જેમ હર્ષદ રીબડિયા સાઈડલાઈન થયા, તેમ ભાજપે ભાયાણીને પણ સાઈડલાઈન કર્યાં.
નરેશ પટેલને બદનામ કરવાના કાંડમાં ખોડલધામથી આવ્યું નિવેદન, જીગીષા પટેલ તપાસ કરાવે
ભાજપની જબરી ગેમ
આ જોતા લાગે છે કે, ભાજપનો એક જ માસ્ટરપ્લાન છે. ગમે તે પાર્ટીના ઉમેદવારને હટાવીને ભાજપના ઉમેદવારને બેસાડો. પહેલા ભાજપે હર્ષદ રીબડિયાને પિક્ચરમાંથી આઉટ કર્યું, અને હવે ભૂપત ભાયાણીને હટાવી દીધા. ભાજપ ઈચ્છે છે કે, વિસાવદરમાં અન્ય પક્ષના જીતેલા ઉમેદવારને તોડીને આપણા પક્ષમાં લાવો, પણ ટિકિટ તો આપણા જ ઉમેદવારને આપવાની.
ગોપાલ ઈટાલિયા સામે ટફ ફાઈટ, 18 વર્ષનો સંન્યાસ કેમનો જશે
ભાજપ પણ માને છે કે, વિસાવદર જીતવું આ વર્ષે પણ સહેલું તો નથી જ. આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને ઉભા રાખ્યા છે. 2007 બાદ ભાજપનો એક પણ ઉમેદવાર વિસાવદર વિધાનસભાની ચૂંટણી નથી જીત્યો. ભાજપ વિસાવદરમાં 18 વર્ષથી સફળતાનો સ્વાદ ચાખી શકી નથી. અહી ભાજપને જાકારો જ મળ્યો છે. છેલ્લે વર્ષ 2007માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાલાલા કનુભાઈ મેપાભાઇ ચૂંટણી જીત્યા હતા. તેના બાદથી વિસાવદરે અન્ય પાર્ટીઓને જ તક આપી છે. ત્યારે બદલાયેલા સમય-સંજોગો અને રાજકારણના કારણે વિસાવદર કોને ચૂંટીને વિધાનસભા મોકલે છે તે જોવું રહ્યું.
લગ્નના 25 માં દિવસે પતિનો આપઘાત, પત્નીની પ્રેમલીલાની પોલ ખોલતી સ્યૂસાઈડ નોટ છોડી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે