Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 Final : IPLની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

RCB vs PBKS IPL 2025 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. ત્યારે આ મેચ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, ત્યારે આ લેખમાં જાણીશું કે શું વરસાદ ખરેખર મેચની મજા બગાડશે ?

IPL 2025 Final : IPLની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

RCB vs PBKS IPL 2025 Final : આજે એટલે કે 3 જૂનના રોજ IPL 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. બંને ટીમો પાસે પહેલીવાર IPL ટાઇટલ જીતવાની તક છે. ચાહકો એક નવી ટીમને વિજેતા બનતી જોવા જઈ રહ્યા છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર-2માં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે મેચ બે કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ હતી. હવે ચાહકોને ચિંતા છે કે વરસાદ ટાઇટલ મેચમાં વિલન બની શકે છે. 

fallbacks

મુંબઈ સાથે જેનો ડર હતો એ જ થયું...હવે પંજાબ સાથે ચાલી રહી છે 'નંબર ગેમ'

વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદમાં આજે IPL 2025ની ફાઈનલ રમાવાની છે, ત્યારે અમદાવાનું આજનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે સાંજના સમયે આકાશમાં વાદળો દેખાશે તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મેચ દરમિયાન ઝરમર વરસાદ આવી શકે છે. આ વરસાદના કારણે કેટલાક અંશે IPL મેચમાં વિઘ્ન આવી શકે છે.

 

વરસાદના કારણે મેચ રદ થાય તો ?

વરસાદની આગાહી વચ્ચે ચાહકોના મનમાં સવાલ હશે કે શું IPL 2025ની ફાઇનલ મેચ માટે 'રિઝર્વ ડે' રાખવામાં આવ્યો છે. જો કોઈ કારણોસર રમત પૂર્ણ ન થાય, તો વિજેતા ટીમ કેવી રીતે નક્કી કરવામાં આવશે ? આ મેચ દરમિયાન વરસાદની અપેક્ષા છે. જો વરસાદ ફાઇનલમાં અવરોધ ઉભો કરે છે, તો રમત માટે બે કલાકનો વધારાનો સમય નક્કી કરવામાં આવે છે. જો વરસાદ બે કલાકથી વધુ સમય માટે મેચનો સમય બગાડે છે, તો ઓછામાં ઓછી પાંચ ઓવર રમવાનો પ્રયાસ કરવામાં આવશે. પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાનારી આ ફાઇનલ મેચ માટે 'રિઝર્વ ડે' પણ રાખવામાં આવ્યો છે. 

જો વરસાદને કારણે મેચ 3 જૂને શરૂ ન થઈ શકે, તો તે 4 જૂને રમાશે. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ થાય છે, તો લીગ રાઉન્ડના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. પંજાબ કિંગ્સે 14 લીગ મેચમાંથી 9 જીતી હતી અને +0.372ના નેટ રન રેટ સાથે ટોપ પર હતી. ટેબલમાં બીજા ક્રમે રહેલી RCBએ પણ એટલી જ મેચ જીતી હતી, પરંતુ નેટ રન રેટ (+0.301)માં પાછળ રહી ગઈ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More