Home> Gujarat
Advertisement
Prev
Next

વિજાપુરની અજીબોગરીબ ઘટના, પાલિકાએ નવી પાઈપલાઈનમાં છોડેલું 20 લાખ લીટર પાણી થઈ ગયું ગાયબ

Vijapur Nagarpalika Water Issue : રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના થકી અનેક ઘરો સુધી પાણી પહોંચાડ્યું છે. પરંતુ વિજાપુર પાલિકા તંત્રની બેદરકારીના કારણે વિજાપુરમાં ચક્કર વિસ્તારની આસપાસ રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. કરોડોના ખર્ચે પાઈપ લાઇન તો નંખાઈ, પરંતુ પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું જ નહીં કયા વિસ્તારમાં છે આ પાણીની પારાયણ અને કેમ પાઈપલાઈન નાંખવા છતાં નથી પહોંચ્યું પાણી. જોઈએ આ અમારા વિશેષ અહેવાલમાં

વિજાપુરની અજીબોગરીબ ઘટના, પાલિકાએ નવી પાઈપલાઈનમાં છોડેલું 20 લાખ લીટર પાણી થઈ ગયું ગાયબ

Mehsana News તેજસ દવે/મહેસાણા : વિજાપુર નગરપાલિકાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વ્હોરવાડથી ચક્કર વિસ્તારમાં પાણીના ધાંધિયા જોવા મળ્યાં છે. થયું એવું કે, નગરપાલિકાએ નવી પાઇપલાઇનમાં છોડેલું પાણી જ ગાયબ થઈ ગયું. નગરપાલિકા દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી હતી. નવી પાઇપલાઇનમાં પાણી છોડાયું પણ પાણી પહોંચ્યું નહિ. 20 લાખ લીટર પાણી છોડાયું પણ પાણી રહીશો સુધી પહોંચ્યું જ નથી. આમ, સ્થાનિક લોકો પાણીના અભાવે ત્રાહિમામ પોકારી ગયા છે. 

fallbacks

આ છે મહેસાણા જિલ્લાનું વિજાપુર. આ વિજાપુરમાં ભર ઉનાળે પાણી માટે ચક્કર વિસ્તારના લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે. વિજાપુરના ચક્કર વિસ્તાર આસપાસ મોમન વાડાથી કસાઈ વાડા સોનીવાડા છાપરીયા વાસ બંગલા વિસ્તાર શેખવાડો ઝાંઝલ વાડો ચક્કરથી હુસેની ચોક ચબૂતરા અને ચક્કરથી દોશીવાડા રોડ પર રહેતા અંદાજિત 8 થી 9 હજાર લોકો હાલમાં પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં ત્રણ દિવસે એક વાર પાણી આવતું હોવાની રાવ ઉઠી છે. નગરપાલિકા પાણી વેરો તો વસૂલી રહી છે, પરંતુ પૂરતું પાણી પહોંચાડવામાં અસફળ થઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવી લાઈન નાખવામાં આવી લાઈન નાંખવામાં આવી હતી. તેમાં ગત 26 તારીખના રોજ પાણી પણ છોડાયું હતું, પણ પાણી નળ સુધી પહોંચ્યું જ નહિ. જેથી આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાર મહિનાનો વેરો વસૂલવામાં આવે છે. પરંતુ પાણી માત્ર છ મહિના જ મળે છે એટલે ત્રણ દિવસે એક વાર પાણી આવતું હોવાની વાત અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે. પૂરતું પાણી ન મળી રહેતા લોકો ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે અને પોતાના ઘરમાં મસ મોટા ટાંકા રાખી તેમાં પાણીનો સંગ્રહ કરવા મજબુર બન્યા છે. આ વિસ્તારના સ્થાનિક લોકો તેમને પાણી દરરોજ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે.

અમરેલીમાં રાજકારણ ગરમાયું, ભાજપના નેતાઓ અને અમરેલી પોલીસ આવ્યા આમને-સામને

વિજાપુરના આ ચક્કર વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવી પાઇપલાઇન નખાઈ હતી અને 26 તારીખે પાણી છોડવાની જાહેરાત કરાઈ. જેમાં પાણી તો છોડાયું પણ આ વિસ્તારના લોકોના ઘર સુધી ન પહોંચ્યું, સમગ્ર મામલે વિજાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ સાથે વાત કરતા જેમાં પહેલા તો પ્રેશર ઓછું હોવાના કારણે પાણી પહોંચ્યું ન હોવાની વાત જણાવી. તેમણે કહ્યું કે, હાલ જૂની લાઇનમાં એકાંતરે પાણી આપીએ છીએ. પાણી અને તેનો ચાર્જ કનેક્શન દીઠ 800 રૂપિયા લઈએ છીએ. જ્યારે પાલિકાનો કનેક્શન દીઠ ઓવર ઓલ ચાર્જ 2800 રૂપિયા થાય છે, જે મેં વધારવાનું વિચારી રહ્યા છીએ. 

તેમણે કહ્યું કે, આ પાઈપલાઈનના ડિઝાઇનિંગમાં ક્યાંક મિસ્ટેક છે કે કેમ તેના ટેસ્ટીંગ માટે જ પાણી છોડાયું તેની ફરિયાદો આવતા રૂબરૂ વિઝીટ કરી ફેરફારો કરવામાં આવશે. ત્યારબાદ ફરી પાણી છોડીને ટેસ્ટિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પાલિકા તંત્ર હાલમાં ચક્કર વિસ્તારમાં પૂરતું પાણી તો નથી આપી રહ્યા તે સ્વીકારવાના બદલે કનેક્શન દીઠ ચાર્જ ઓછો લઈ રહ્યા છે તે વધારવાની વાત કરી રહ્યા છે. જ્યારે આ પાઇપલાઇન નંખાઈ હશે ત્યારે તંત્રએ તેની સ્થળ વિઝીટ કરી તપાસ નહીં કરી હોય તેની ચકાસણી નહીં કરી હોય તે પણ એક સવાલ.

એક તરફ તો રાજ્ય સરકાર લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા કટિબદ્ધ છે તો બીજી તરફ સ્થાનિક પાલિકા તંત્ર ની બેદરકારીના કારણે હાલમાં વિજાપુર ચક્કર વિસ્તારના લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે ભર ઉનાળે પાણી ન મળતા હાલમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ પાલિકાનું નઘરોળ તંત્ર આ ચક્કર વિસ્તારના સ્થાનિક રહીશોની પાણીની સમસ્યા ક્યારે દૂર કરે છે કે પછી જેસે તેની પરિસ્થિતિમાં આ લોકોને પાણી આપવામાં આવે છે.

ગુજરાતમાં આવીને કેજરીવાલનો ભાજપને ખુલ્લો પડકાર : ગોપાલ ઈટાલિયાને ખરીદીને બતાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More