Home> Gujarat
Advertisement
Prev
Next

ડીસામાં આગથી મોતનું તાંડવ : મધ્યપ્રદેશથી આવેલા મજૂરો આગમાં ભડથુ, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક

Massive Fire In Deesa : બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જીવલેણ આગ... જિલ્લા કલેક્ટરે ભીષણ આગમાં 17 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ કરી... મૃતદેહો ઓળખવા મુશ્કેલ થાય એ હદે ભડથું થયા

ડીસામાં આગથી મોતનું તાંડવ : મધ્યપ્રદેશથી આવેલા મજૂરો આગમાં ભડથુ, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક

Banaskantha News : ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા જ આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડીસાના ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ ગુજરાતની આજની સૌથી મોટી દુર્ઘટના બની રહી છે. આ આગમાં 17 લોકો ભડથુ થયા છે. હજી પણ કાળમાળ વચ્ચેથી મૃત્યુઆંકવધે તેવી શ્કયતા છે. 

fallbacks

14 મૃતદેહો મળ્યાં 
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 17 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે.  

મજૂરો મધ્ય પ્રદેશથી આવ્યા હતા
તમામ મૃતક મધ્યપ્રદેશના રહેવાસી ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી

કેટલા લોકો ફેક્ટરીમાં હતા ખબર નહિ 
અંદર કેટલા લોકો હતા ખબર નહિ, જેમ જેમ કાટમાળ નીકળે છે તેમ તેમ મૃતદેહો નીકળી રહ્યાં છે. તેથી હજી પણ મૃત્યુઆંક વધી શકે છે. હજી પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર આવી રહ્યાં છે. આ મૃતકો કોણ કોણ છે તેની પણ હજી ઓળખ થઈ નથી. 

કાટમાળમાંથી નીકળી રહ્યાં છે મૃતદેહો - જિલ્લા કલેક્ટર 
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ વિશે માહિતી આપી કે, ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાની ઘટનામાં 17 લોકોના મોત થયા છે. ફેક્ટરીના કાટમાળમાંથી ભડથું થયેલ હાલતમાં 12 મૃતદેહો નીકળ્યા. હજુ SDRF અને ફાયરની ટિમ દ્વારા સર્ચ ચાલુ છે. ઘટનાને લઈને FSLની ટીમમે બોલાવવામાં આવી છે. ઘટનાને લઈને તપાસના આદેશ આપી દેવાયા છે. 

ફેક્ટરીનો માલિક ફરાર થયો 
કાટમાળમાં દબાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા દેખાઈ રહી છે. SDRFની ટીમે પહોંચીને ગોડાઉનમાં ભડથું થયેલ લાશો કાઢવાનું શરૂ કરાયું છે. જોકે, ફેકટરી માલિક ખૂબચંદ્ર નાહલાણી સમગ્ર ઘટનામાં હજુ સુધી ફરાર છે. 

ઘટના દુખદ છે - બળવંતસિંહ રાજપૂત 
આ ઘટના બાદ બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘટના એકમ દુખદ બની છે. મુખ્યમંત્રીની સૂચનાને આધારે તપાસના આદેશો આપ્યા છે તાત્કાલિક અસરથી હું ઘટના સ્થળે જવા નીકળ્યો છું. ડીસામાં લાગેલી આગ મમલે મુખ્યમંત્રી સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરી છે. કલેકટર અને પ્રભારી મંત્રી તથા ગૃહ મંત્રી સાથે પણ વાતચીત કરી છે. સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી ઝડપથી તમામ મદદ પૂરી પાડવા સૂચના કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More