Home> Gujarat
Advertisement
Prev
Next

મંત્રી પુત્ર કિરણ ખાબડની ફરી ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ થતા જેલમાંથી બહાર આવતા જ ધરપકડ કરાઈ

Minister Bachu Khabad Son Arrested : મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો...જામીન પર છૂટ્યા બાદ સબ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે ધરપકડ કરી
 

મંત્રી પુત્ર કિરણ ખાબડની ફરી ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ થતા જેલમાંથી બહાર આવતા જ ધરપકડ કરાઈ

Dahod Manrega Scam : મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. જામીન પર છૂટ્યા બાદ તરત જ પોલીસે તેની અટકાયત કરી છે. જામીન રદ કરવા રિવિઝન્લ અરજી કરી હતી. 

fallbacks

દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે સામે મોટા સમાચાર આવ્યા છે. મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે. મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા હતા. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી છે. જ્યારે બીજા પુત્રને જામીન મળતા તેને જેલમુક્ત કરાયો છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી. 

મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લેવાયા હતા. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે અટકાયત કરી છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર : 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રખાઈ

શું છે આ સમગ્ર કૌભાંડ
દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં હેઠળ કરવાના થતા કામોમાં અધધ કહી શકાય તેમ તેવી નીતિરીતિ અખત્યાર કરી ખોટા દસ્તાવેજૉ ઊભા કરી નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે ચાર વર્ષનો સમયગાળા દરમિયાન દેવગઢબારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી સમગ્ર કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો. તેને બદલે અન્ય એજન્સીઓને આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવી સરકારી અધિકારી કર્મચારી,વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી અને કીમતી દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ ૩૫ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

મનરેગામાં કરોડોનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે આ તો ત્રણ જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતી સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડ નો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે આ કૌભાંડ સામુહિક યોજના ના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયઝનિંગ રહી કામ કરવા એસઆઇટીની ટીમ બનાવી તપાસનો દોર લંબાવ્યો છે. દાહોદ પોલીસ દ્વારા ગુનો નોંધી 4 જેટલા અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ ACCOUNT ASSISTANT કર્મચારી જયવીર નાગોરી, મહિપાલ સિંહ ચૌહાણ GRS ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરવામાં આવી બારીયા ફુલસિંહ રમેશ, મંગળ સિંહ પટેલીયાની ધરપકડ કરાઈ છે.

સરકારનો મોટો નિર્ણય : GCMMF અને દૂધ ઉત્પાદક સંઘમાં હવે પારદર્શિતા આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More