Ahmedabad Airport Plane Crash: અમદાવાદમાં ગુરુવારે બપોરે એક દુ:ખદ અકસ્માત થયો, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેક-ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. તે લંડન જઈ રહી હતી. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એરપોર્ટના રન-વે 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ આ અકસ્માત થયો. વિમાન એરપોર્ટની પરિમિતિથી થોડા અંતરે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું અને ક્રેશ થયું.
અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો દેખાતો હતો અને સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ઘટના સ્થળેથી લોકોની ચીસો, રડતા સગાસંબંધીઓ અને બધે અરાજકતાનું વાતાવરણ દેખાઈ રહ્યું હતું. બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાનું કામ ચાલી રહ્યું છે.
'જ્યાં મારો દીકરો ગયો, ત્યાં વિમાન પડ્યું...'
આ દરમિયાન રમીલા નામની એક મહિલાનું નિવેદન સામે આવ્યું છે, જેમનો દીકરો એ જ હોસ્ટેલમાં રહેતો હતો જ્યાં આ વિમાન ક્રેશ થયું હતું. ધ્રૂજતા અવાજે તેમણે કહ્યું, 'મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને વિમાન ત્યાં પડી ગયું. મને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું છે. પરંતુ ભગવાનનો આભાર, મારો દીકરો બચી ગયો.'
#WATCH | Air India plane crash: "My son had gone to the hostel during lunch break, and the plane crashed there. My son is safe, and I have spoken to him. He jumped from the second floor, so he suffered some injuries,” says Ramila, who reached the civil hospital in Ahmedabad,… pic.twitter.com/MgMtvXBSou
— ANI (@ANI) June 12, 2025
રમીલાબેને જણાવ્યું કે અકસ્માત સમયે તેમના દીકરાએ પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદી પડ્યો હતો, જેના કારણે તેને થોડી ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું, "મેં તેની સાથે વાત કરી છે, તેમણે કહ્યું કે મમ્મી હું ઠીક છું, બસ થોડી ઈજા થઈ છે."
બચાવ કાર્ય ચાલુ છે, હજુ સુધી સંખ્યા સ્પષ્ટ નથી
વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ CISF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની એક કટોકટી બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં DGCA અને મંત્રાલયના સચિવ હાજર હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યારે અમારી પ્રાથમિકતા ઘાયલ મુસાફરોને બચાવવાની અને તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની છે. મૃતકોની સંખ્યા વિશે હમણાં કંઈ કહેવું વહેલું ગણાશે."
વિજય રૂપાણીનું નામ પણ મુસાફરોની યાદીમાં
અકસ્માત પછી બહાર આવેલી યાદીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ જોવા મળ્યું છે, જેના કારણે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, તેમની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સરકાર અને એર ઇન્ડિયા દ્વારા મુસાફરોના સંબંધીઓ માટે હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે, જેથી લોકો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે