જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં મોટી પરેશાનીઓના પણ નાના અને સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમ કે મહેનત બાદ પણ જો સફળતા ન મળે, તંગી, અને બીમારીઓ પીછો ન છોડે, કામમાં વિધ્ન આવે વગેરેમાં એક રૂપિયાના સિક્કાનો ઉપાય અજમાવી જુઓ. મદદગાર સાબિત થઈ શકે છે.
1 રૂપિયાના સિક્કાનો ઉપાય
બીમારીઓને પહોંચી વળવા માટે
જો વારંવાર બીમારીઓ પરેશાન કરે, જેની પાછળ કોઈ ખાસ કારણ ન હોય તો એક રૂપિયાનો સિક્કો રાતે ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. સવારે સ્મશાનમાં ફેંકી આવો. જલદી રોગોથી મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત એક વધુ ઉપાય અજમાવી શકો છો. તેના માટે રાતે માથાની નીચે 1 રૂપિયાનો સિક્કો અને પોતાની ઊંચાઈ બરાબર નાડાછડી માપીને રાખો. બીજા દિવસે આ રૂપિયો અને નાડાછડી શિવમંદિરમાં ચડાવી દો. આ ઉપાયથી પણ રોગોથી મુક્તિ મળી શકશે.
સફળતા માટે ઉપાય
જો વારંવાર નિષ્ફળતા મળતી હોય કોઈ કામ પૂરા થતા ન હોય તો સૂતી વખતે તકિયા નીચે એક રૂપિયો રાખો. બીજા દિવસે સવારે ઉઠીને સિક્કાની સાથે કેટલાક પૈસા અને બધુ કોઈ ગરીબ કે જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરી દો. તેનાથી બાધાઓ દૂર થશે અને કામ બનશે.
ધન પ્રાપ્તિનો ઉપાય
જો આર્થિક તંગીથી પરેશાન હોવ તો શુક્રવારે સાંજે વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં 5 પીળી કોડીઓ (સફેદ કોડીને હળદર કેસરથી પણ પીળી કરી શકો છો) અને એક રૂપિયાનો સિક્કો અર્પણ કરો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ સાફ કપડાં પહેરો અને એક લાલ કપડાંમાં કોડીઓ અને સિક્કા બાંધીને તમારી તિજોરી કે ધન સ્થાન પર મૂકો. જલદી માતા લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિમાં વધારો થશે.
પ્રગતિ માટે ઉપાય
કરિયરમાં જલદી પ્રગતિ મેળવવા માટે સાંજે તુલસીજી અને માતા લક્ષ્મીની પૂજા કરો. તુલસી પાસે એક ચૌમુખી દીવો જરૂર પ્રગટાવો. આ સાથે જ આ દીવામાં એક રૂપિયાનો સિક્કો નાખો. આ ઉપાય કરવાથી નોકરી વેપારાં બમણી ગતિથી પ્રગતિ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે