Narmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાંમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 132.57 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 5,07,750 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવશે.
ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં લાખો લોકો બેઘર થશે! આ ઉદ્યોગને પડશે 12,000 કરોડનો બોજ
આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે 5 દરવાજા ખોલી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે.
આ માતાની એવી તો શું મજબૂરી હશે? કે જનેતાએ પોતાના હાથે દીકરાને આપ્યો મોતનો સામાન
આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તાર ના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.
સાંબેલાધાર વરસાદ માટે તૈયાર રહેજો! ઓગસ્ટ-સપ્ટેમ્બરની તારીખો સાથે ભારે આગાહી, તબાહી..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે