Nirbhayakand In Gujarat : ગુજરાતને કલંકિત કરતી ઘટના બની છે. ગુજરાતમાં દુષ્કર્મીઓની હિંમત વધી રહી છે. ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં નિર્ભયાકાંડ સર્જાયો છે. રાજકોટની સગીરા પર સુરતમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મ આચરાયું હતું. તરુણી સુરતથી રાજકોટ આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ગીર સોમનાથના વિજય બારડ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાએ જણાવ્યું. ત્યારે રાજકોટમાં ફરીયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવામાં આવી છે.
સુરત મહિધપુરા પોલીસ મથક ફરિયાદ મોકલવામાં આવી છે. સગીરા રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. આરોપી પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી, વિજય પણ તેની પાછળ પાછળ ગયો હતો. સુરતથી રાજકોટ આવતા દરમિયાન આ ઘટના બની. આરોપીએ તરુણીને બ્લેકમેલ કરી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું.
શેઠની શિખામણ ઝાંપા સુધી, રાહુલ ગાંધીએ ગુજરાત છોડતા કોંગ્રેસના નેતાઓએ કકળાટ શરૂ કર્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે