Ahmedabad Real Estate : ગુજરાતના કોઈ પણ શહેરમાં ઘરનું ઘર ખરીદવું હવે મોંઘું બન્યું છે. તેમાં પણ અમદાવાદમાં ઘર ખરીદવું હોય તો લાખો કરોડો રૂપિયા વેરવા પડે છે. અમદાવાદમાં નવી સ્કીમમાં ઘર ખરીદવું વધુ મોંઘું બન્યું છે. કારણ કે, નવી સ્કીમમાં ઘર ખરીદનારે હવે ટેક્સ બિલમાં નામ ચઢાવવા માટે 10 હજાર સુધીની રકમ વધુ ચૂકવવી પડશે. અત્યાર સુધી બિલ્ડર પાસેથી ઘર ખરીદ્યા બાદ કોઈ પણ ફી વગર માલિકનું નામ ચઢી જતું હતું. પરંતું હવેથી આ ચાર્જ પણ ચૂકવવો પડશે.
નવી સ્કીમમાં નવુ મકાન ખરીદનારાને અત્યુ સુધી કોઈ પણ ફી ચૂકવ્યા સિવાય સીધું જ આકારણીમાં નામ ચઢી જતું હતું. પરંતુ હવે ઘર ખરીદનાર વ્યક્તિએ મ્યુનિસિપલ ટેક્સ બિલમાં પોતાનું નામ ચઢાવવા માટે 1 હજારથી લઈને 10 હજાર સુધીની રકમનો ખર્ચ જાતે જ ઉપાડવો પડશે.
આ વિશે અધિકારીએ જણાવ્યું કે, બીયુ પરમિશનને આધારા પ્રથમ માલિકનું નામ ટેક્સ બિલમાં દાખલ થશે. જો જો બીયુ પરમિશન મેળવ્યા બાદ નવા ખરીદાર દ્વારા દસ્તાવેજ થશે તો તેમણે મ્યુનિ. ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફરની રકમ ભરવી પડશે. મ્યુનિ. હવે પ્રથમ ટેક્સ બિલની આકારણી કરી માલિક ડેવલપરને પ્રથમ માલિક ગણશે. તેથી નવા માલિકનું નામ ટ્રાન્સફર કરવા માટે અરજી. વેચાણ દસ્તાવેજ વિગેરે પુરાવાને આધારે નામ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.
માનતા પૂર્ણ થતા દેસાઈ પરિવારે મંદિરને દાન કર્યો પોતાનો લાકડવાયો દીકરો! આસ્થાની અનોખી કહાની
અમદાવાદમાં હાઉસિંગની રોજ નવી નવી સ્કીમ બની રહી છે. રોજ હજારો લોકો નવા ઘર માટે બુકિંગ કરાવતા હોય છે, અને ખરીદતા હોય છે. આવામાં નવું ઘર ખરીદનારાઓ માટે આ ખર્ચો મોટો ફટકો બની રહેશે. તો બીજી તરફ, આ આવક સીધી એએમસીના ખાતામાં જશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ આવકથી એકથી દોઢ કરોડનો ફાયદો થવાનો અંદાજ છે. પરંતું ઘર ખરીદનારાઓ માટે તે બોજા સમાન છે.
હવે ગણિતમાં સમજીએ તો,
તો બીજી તરફ, આ નિયમ રિડેવલપમેન્ટ સોસાયટીઓને લાગુ નહિ પડે. જો આપની સોસાયટી રિડેવલપમેન્ટ સ્કીમમાં હોય તો તેના મૂળમાલિકોએ ટેક્સ ફી ચૂકવવાની રહેશે નહીં. પરંતુ આ નવી સ્કીમમાં જેટલા નવા યુનિટ હશે તેટલા ટ્રાન્સફર કરાવવા માટે ફી ચૂકવવી પડશે.
મરણચીસોથી ગુંજી ઉઠ્યો અમીરગઢનો હાઈવે, બસ અને કારની ટક્કરમાં 5 મુસાફરોના ઘટનાસ્થળે મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે