PM Modi In Gujarat : PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ગુજરાતને 82,950 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. દાહોદ અને ભુજમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82,950 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ભુજમાં 53 કરોડથી વધુના 33 વિકાસ કાર્યો, દાહોદમાં 24 હજાર કરોડથી વધુના વિકાસકાર્ય, ગાંધીનગરમાં 55 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો સાથે જ ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપશે... જે ટ્રેન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડશે.
Thank you Vadodara!
Extremely delighted to be in this great city. It was a splendid roadshow and that too in the morning! Gratitude to all those who showered their blessings. pic.twitter.com/InjK4QfyUJ
— Narendra Modi (@narendramodi) May 26, 2025
વડોદરામાં ભવ્ય રોડ શો યોજાયો
વડોદરા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. ત્યારે વડોદરામાં પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી. કર્નલ સોફિયાનો પરિવાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા પહોચ્યો હતો.
લોકોમોટિવ એન્જિન દેશને ભેટ
આજે દાહોદના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. ત્યારે ેતેમણે દાહોદથી કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. રેલવે સહિતના 24 કરોડના વિકાસકામોની ભેટ આપી. 9000 HPનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું. લોકો મૅન્યુફેક્ચરિંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કર્યું. લોકોમોટિવ વર્કશોપ શરૂ થતાં રાજ્યમાં રોજગારી વધશે.
કેમ ખાસ છે આજનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજનો દિવસ ખાસ છે. કારણ કે, આજના દિવસે બરાબર 11 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ 11 વર્ષ પહેલા 26 મે 2014ના દિવસે જ દેશની ધુરા સંભાળી હતી. અને એ પછી જે થયું તે ઈતિહાસ છે. ભારત દુનિયાની ચોથી સૌથી મોટુ અર્થવ્યવસ્થા બની ગયું છે. ઓપરેશન સિંદૂરથી દેશની તાકાત દુનિયાએ જોઈ છે. અને આજના ખાસ દિવસે ગુજરાતના પનોતા પુત્રનું વતનમાં હોવું તેને વિશેષ બનાવી રહ્યું છે.
કચ્છને આપશે ખાસ ભેટ
વડોદરા બાદ પ્રધાનમંત્રી આજે કચ્છની મુલાકાત લેશે. બપોરે ભુજમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં તેઓ ભુજથી 53 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ સાથે જ ભુજના મિરઝાપર રોડ પર જાહેરસભાનું આયોજન કરાયું છે. PMને આવકારવા માટે કચ્છના લોકોમાં આતુરતા જોવા મળી છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી કચ્છ આવી રહ્યા છે. પીએમ મોદીને આવકારવા એક કિલો મીટર લાંબો રોડ શો યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે