Home> Gujarat
Advertisement
Prev
Next

અશાંત ધારો છતાં વિધર્મીને મિલકત તબદીલ થતાં ભારે વિરોધ, આણંદના રહીશો જંગે ચઢ્યા

The Ashant Dhara Law : આણંદના અશાંત ધારા અંતર્ગત આવતી એક પ્રોપર્ટીનું વિધર્મીને વેચાણ કરતા સ્થાનિકોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો  

અશાંત ધારો છતાં વિધર્મીને મિલકત તબદીલ થતાં ભારે વિરોધ, આણંદના રહીશો જંગે ચઢ્યા

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ શહેરમાં અશાંત ધારો લાગુ હોવા છતાં ભાજપમાં એક નેતા દ્વારા હિન્દુ બહુમતી વિસ્તારમાં આવેલી પોતાની જમીન વિધર્મીઓને વેચાણ કરાયું છે. તેમજ અધિકારીઓ દ્વારા પણ યોગ્ય તપાસ કર્યા વિના જમીનની એન્ટ્રી મંજૂર કરી દેવાઈ છે. જેના વિરોધમાં સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. અશાંતધારા કાયદાને લૂલો લંગડો બનાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

fallbacks

આણંદ શહેરમાં નાની ખોડિયાર વિસ્તારમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજે એકત્ર થઈ અશાંત ધારાનો કડક અને ચુસ્ત અમલ થાય તેની માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને અશાંતધારાનો કડક અમલ નહીં થાય તો નાની ખોડિયાર વિસ્તારમાં સનાતની હિન્દુ પરિવારોને આગામી દિવસોમાં સ્થળાંતર કરવું પડશે.

આણંદ શહેરમાં નાની ખોડિયારથી સલાટીયા રોડને જોડતા માર્ગ પર ગંગદેવ નગર રોડ પર આણંદ ભાજપના નેતા અને નગર પાલિકાના ભૂતપૂર્વ કારોબારી ચેરમેન સચિન પટેલે બહુમતી હિન્દુ વસવાટ હોવા છતાં પોતાની માલિકીની જમીન વિધર્મીઓને વેચી નાંખી. અહીંયા વિધર્મીઓ દ્વારા મકાનો બનાવવામાં આવતા જેનાં કારણે આગામી દિવસોમાં હિન્દુ પરિવારોને વિસ્થાપિત થવા મજબૂર બનવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.

અશક્યને શક્ય બનાવ્યું આ ગુજરાતી ખેડૂતે, ઠંડા પ્રદેશનું ફળ ગુજરાતની ધરતી પર ઉગાડ્યું

આણંદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી પનઘટ હોટલથી હિમાલય ટાઉનશીપ પાછળના તમામ વિસ્તારો કે જે ટીપી 9 ના વિસ્તારો છે અને જેને સરકારે અશાંત ધારા હેઠળ અશાંત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. તેમ છતાં ટીપી 9 ના બહુમતી હિન્દુ સમુદાયની વ્યક્તિઓના સ્પષ્ટ અને સખત વિરોધને અવગણીને નાયબ કલેકટર પ્રાંત અધિકારી દ્વારા અશાંત વિસ્તારની મિલકતોની તબદીલી મુસ્લિમ સમુદાયની વ્યક્તિઓને કરવાની પરવાનગીઓ આપીને અશાંત ધારાનો ભંગ કર્યો છે અને હિન્દુઓની સલામતી જોખમાય તેવું કામ કર્યું છે તેવું સ્થાનિકોએ જણાવ્યું.

રહીશોએ જણાવ્યું કે, ટીપી 9 ના હિન્દુ સમુદાયને જાણ કર્યા સિવાય હિન્દુઓની જાણ બહાર અશાંતધારા હેઠળની કાર્યવાહી ગેરકાયદેસર રીતે કરીને મુસ્લિમ વ્યક્તિઓને મિલકત તકદીલીની પરવાનગીઓ આપવામાં આવી છે. જેના કારણે ટીપી 9 માં મુસ્લિમ સમુદાયની વસ્તી દિવસેને દિવસે વધતી જાય છે અને હિન્દુ સમુદાયની વસ્તી દિવસને દિવસે ઘટતી જાય છે અને હિન્દુઓને મુસ્લિમ વસ્તીની નજીકના પોતાના મકાનો મિલકતો વેચીને ત્યાંથી જતા રહેવા કે વિસ્થાપિત થવા મજબૂર થવું પડે છે. અશાંત ધારો જાહેર કરેલ વિસ્તારમાં વસવાટ કરવા આવેલ મુસ્લિમ સમુદાય દ્વારા ધાર્મિક ઉપદ્રવ ફેલાવીને હિન્દુઓને પરેશાન કરી ભય ફેલાવવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. જેનાથી હિન્દુઓની શાંતિ અને સલામતી જોખમાઈ ગઈ છે.

દાહોદના રેલવે મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટથી પીએમ મોદીની તસવીરો, બનશે દેશની નવી ઓળખ

અશાંત વિસ્તારમાં વસવાટ કરવા આવેલ મુસ્લિમો દ્વારા હિન્દુ વિસ્તારોમાં જાહેર જગ્યાઓએ જાહેર રસ્તા ઉપર માસ મટન ગૌ માંસનું વેસ્ટ મટનનું વેસ્ટ વગેરે ફેંકવામાં આવે છે, ગાયોના ટોળા ઉપર હુમલાઓ કરવામાં આવે છે ગાયોને મારવામાં આવે છે. જાહેર બગીચાઓનાં સ્થળોમાં જાહેર રીતે જે વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ વિસ્તાર છે. અને હિન્દુ વસ્તી લાંબા સમયથી ત્યાં વસવાટ કરે છે એવા વિસ્તાર ના જાહેર સ્થળ ઉપર ઘર્ષણ ઉભું થાય અને હિન્દુ સમાજ ઉશ્કેરાય જે હેતુ જાહેરમાં નમાઝ પડવામાં આવે છે તથા વિસ્તારના ગાર્ડનમાં માસ મટન વગેરે ખાવામાં આવે છે તથા તેનો વેસ્ટ જાહેર ગાર્ડનના અને હિન્દુ વિસ્તારોમાં નાખવામાં આવે છે જેનાથી હિન્દુઓમાં ભય અને અરજકતા ફેલાય છે જેનાથી હિન્દુઓની શાંતિ અને સલામતી જોખમાઈ ગયેલ છે

આણંદ ભાજપના નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન સચિન ઘનશ્યામભાઈ પટેલ અને હાલના ભાજપના શહેર મહામંત્રી હિરેન હર્ષદભાઈ પટેલ નાઓ એ ટીપી 9 માં આવેલ અશાંત ધારા હેઠળ આવેલી તેમની માલિકીની તમામ જમીનો જેના સર્વે નંબર 257/1 ફાઇનલ પ્લોટ નંબર 70,સર્વે નંબર 66 / 2 ફાઇનલ પ્લોટ નંબર 57,સર્વે નંબર 258 ફાઈનલ પ્લોટ નંબર 56,સર્વે નંબર 251 ફાઇનલ પ્લોટ નંબર 55,સર્વે નંબર 269 / 1 ફાઇનલ પ્લોટ નંબર 61 અને સર્વે ર્નબર 269 / 1 ફાઇનલ પ્લોટ નંબર 44 જેનો હાલ અશાંતધારાનો કેસ ચાલી રહ્યો છે જે તમામ જમીનો હિંદુઓની જાણ બહાર અશાંતધારાની જોગવાઈઓનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ફક્ત અને ફક્ત મુસ્લિમ વ્યક્તિઓને વેચાણ કરીને હિન્દુઓની બહુમતી વસ્તીમાં ગેરકાયદેસર રીતે મોટા પાયા ઉપર મુસ્લિમોને વસાવેલ છે અને હિન્દુઓની શાંતિ સલામતી જોખમાય તેવું હિન્દુ વિરોધી કૃત્ય કરેલ છે તેનો આરોપ કરવામાં આવ્યો છે.

ગુજરાતના વાતાવરણમાં 28 મેથી મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલની તોફાની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More