Home> Gujarat
Advertisement
Prev
Next

IPL 2023 Qualifier 2: ગુજરાત vs મુંબઈની મેચમાં વરસાદનું વિઘ્ન, મેચ મોડી થશે પણ ન રમાય તો આવા છે નિયમો

IPL 2023 Qualifier 2: અમદાવાદમાં મેચ વચ્ચે આજે અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાયો છે. હાલમાં મોટેરામાં વરસાદ રોકાઈ ગયો છે અને મેચ મોડી શરૂ થાય તેવી સંભાવના છે. આમ છતાં મેચ ન રમાય તો નિયમો જાણી લેજો કે કોણ પહોંચશે ફાયનલમાં

IPL 2023 Qualifier 2: ગુજરાત vs મુંબઈની મેચમાં વરસાદનું વિઘ્ન, મેચ મોડી થશે પણ ન રમાય તો આવા છે નિયમો

IPL Play Offs Conditions: અમદાવાદમાં હાલ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આવતા ક્રિકેટ રસિકોની મેચની મજા બગડી છે. IPL રસિકોમાં ચિંતા પેઠી છે. આ સિઝનમાં વરસાદે કેટલીક મેચોમાં રમત બગાડી હતી, જેમાં લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ પણ સામેલ હતી. હાલમાં મેચ મોડી શરૂ થાય તેવી સંભાવના છે. અમદાવાદમાં 3 કલાક વરસાદની આગાહી વચ્ચે પણ મોટેરામાં વરસાદના ઝાપટા બાદ વરસાદ બંધ થઈ ગયો છે. એટલે મેચ મોડી શરૂ થાય તેવી સંભાવના છે. હવે ખુલાસો થયો છે કે મેચ 8 વાગે શરૂ થશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ વચ્ચે ટોસ થયો છે. જેમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. 

fallbacks

 

 

 

અમદાવાદમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! અનેક વિસ્તારોમા કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી

અમદાવાદ શહેરમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે  કે, આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

 

શું આવતીકાલે જાહેર થશે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ગુજરાત બોર્ડે કર્યો ખુલાસો

જાણી લો કેવા છે નિયમો

મહત્ત્વનું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની બીજી ક્વોલિફાયરમાં એકબીજા સામે ટકરાઈ રહ્યાં છે. હવે આ મેચ માટે વરસાદનું વિઘ્ન આડે આવી ગયું છે. ફેન્સના આશ્ચર્ય વચ્ચે જો ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે તો ગુજરાત અથવા મુંબઈ બંનેમાંથી કોઈ એકને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થવાની સંભાવના હોય તો આ સિઝનમાં બંને ટીમોના પોઈન્ટ અને રન રેટને ધ્યાનમાં લઈને બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય કરવામાં આવશે.

નોંધનીય છે કે, જો આ મેચમાં વરસાદ ન અટકે તો મુંબઈની આશાઓ પર પાણી ફરી વળશે. જેનું કારણ લીગ મેચોમાં ટીમનું પ્રદર્શન હશે, જે ગુજરાતની સરખામણીમાં ઘણી પાછળ છે. ગુજરાતની ટીમે 14માંથી 10 મેચ જીતી હતી અને 20 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. પોઈન્ટ ટેબલમાં ટોપર ટીમ ગુજરાત ટાઈટન્સનો રન રેટ 0.809 હતો. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો આ ટીમે 14 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને રન રેટ માઈનસમાં રહ્યો હતો. જો વરસાદને કારણે ક્વોલિફાયર-2 રદ થાય છે, તો આંકડાઓ પર નજર કરીએ તો, હાર્દિક પંડ્યા એન્ડ કંપની રમ્યા વિના ફાઈનલની ટિકિટ કાપી શકે છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ધડાકો, કઈ પાર્ટીને કરે છે સપોર્ટ? સુરતમાં આપ્યું નિવેદન

IPL-2023 હવે તેના અંતિમ તબક્કામાં છે. આ લીગની વર્તમાન સિઝનમાં પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ મળી છે અને તે છે ચેન્નાઇ સુપર કિંગ્સ. રવિવારે રમાનાર ફાઈનલમાં ચેન્નાઈ કઈ ટીમનો સામનો કરશે તે શુક્રવારે જાણવા મળશે. આ દિવસે પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને વર્તમાન વિજેતા ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વોલિફાયર-2માં મુકાબલો થશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઈનલ રમશે. પરંતુ જો વરસાદ પ્લેઓફ મેચ અથવા ફાઈનલમાં વિક્ષેપ પાડે તો શું? આ સવાલ ફેન્સના મનમાં પણ આવ્યો હશે. બીસીસીઆઈએ આવી સ્થિતિને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. પ્લેઓફ અને ફાઈનલ માટે બીસીસીઆઈએ તમામ શરતોને ધ્યાનમાં રાખીને નિયમો તૈયાર કર્યા છે જેથી મેચના પરિણામને જાહેર કરી શકાય. BCCI અને લીગની ગવર્નિંગ કાઉન્સિલ એ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરે છે કે મેચ થાય અને બંને ટીમો રમે.

ગુજરાતી ખેડૂતોએ 1600 કરોડ પાછા આપવા પાડશે: 4.52 લાખ ખેડૂતોનું બન્યું છે લિસ્ટ

આ છે પ્લેઓફ માટેના નિયમો 
IPLના નિયમો અનુસાર દરેક પ્લેઓફ મેચ માટે 120 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે, નિર્ધારિત સમય પછી મેચ પૂર્ણ થવામાં 120 મિનિટ બાકી રહેશે. જો પ્લેઓફ મેચના દિવસે વરસાદ આવે છે અને મેચ શરૂ કરવામાં સમસ્યા સર્જાય છે, તો જો મેચ 9:45 વાગ્યા સુધી શરૂ થાય છે, તો ઓવરોની સંખ્યા સંખ્યા કાપવામાં આવશે નહીં અને મેચ સંપૂર્ણ 20 ઓવરની રહેશે. આવી સ્થિતિમાં ઇનિંગ્સ વચ્ચે માત્ર 10 મિનિટનો વિરામ હશે.

નવી સંસદનું ઉદ્ઘાટન થાય તે પહેલા ZEE 24 કલાક પર જુઓ તેની EXCLUSIVE તસ્વીર

આ પછી જો મેચ થશે તો ઓવરોની સંખ્યા કાપવામાં આવશે. જો જરૂરી હોય તો ઓવરોની સંખ્યા પ્રતિ ઇનિંગ્સમાં મહત્તમ પાંચ ઓવર સુધી ઘટાડી શકાય છે. 11.56 વાગ્યાથી પ્રતિ ઇનિંગ પાંચ ઓવરની મેચ યોજાશે. BCCIએ આ મેચનો અંતિમ સમય પણ નક્કી કર્યો છે, જે 12:50 સુધીનો રહેશે. તેનો કટ ઓફ સમય 12:26 કલાક છે. પ્લેઓફ માટે કોઈ અનામત દિવસ રહેશે નહીં.

હવામાન ખાતાએ આપ્યા ખુશખબર!, જાણો રાજ્યમાં ક્યારથી બેસી જશે ચોમાસું

આ નિયમો અંતિમ માટે છે
ફાઈનલના દિવસે પણ જો વરસાદ અથવા ખરાબ હવામાનને કારણે મેચમાં વિલંબ થાય છે, તો જો મેચ રાત્રે 10:10 વાગ્યા સુધી શરૂ થાય છે, તો ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થશે નહીં. આ દરમિયાન ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક 10 મિનિટનો રહેશે. ફાઈનલ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ અનામત દિવસ એક દિવસ પછીનો છે. એટલે કે જો 28 મેના રોજ ફાઈનલ નહીં થાય તો મેચ 30 મેના રોજ રમાશે. મેચ રિઝર્વ ડે પર આઠ વાગ્યે શરૂ થશે. રિઝર્વ ડે પર પણ મેચ સમાપ્ત કરવા માટે વધારાની 120 મિનિટ હશે.

PM Kisan: કોણ સાચું ભૂપેન્દ્ર પટેલ સરકાર કે મોદી સરકાર, આંકડામાં રાત-દિવસનો તફાવત

જો ફાઇનલ શરૂ થાય છે અને ઓછામાં ઓછી એક ઓવર પછી તે જ દિવસે એટલે કે 28 મેના રોજ મેચ પૂરી ન થાય તો આ મેચ રિઝર્વ ડે પર સમાપ્ત થશે. બીજા દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં તે પહેલા બંધ થઈ હતી. પરંતુ જો અંતિમ દિવસે ટોસ થાય અને મેચ ન થાય, તો મેચ આરંભ દિવસથી શરૂ થશે, એટલે કે, ટોસ પણ ફરીથી થશે અને પ્લેઇંગ-11 પણ ફરીથી પસંદ કરવામાં આવશે.

મોદીનો ફફડાટ! ઓસ્ટ્રેલિયાથી આવતાંની સાથે ગુજરાત પહોંચ્યા વિદેશમંત્રી, આ કારણે 2 દિવસ

જો મેચ ન થાય તો શું?
જો આઈપીએલ ફાઈનલમાં મેચ પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા આવશે તો બંને ટીમો સુપર ઓવર રમશે. આમાં જે ટીમ જીતશે તે વિજેતા બનશે. પરંતુ જો કોઈ પણ સંજોગોમાં ફાઈનલ મેચ પૂર્ણ ન થાય તો 70 મેચ પછી જે ટીમ લીગ સ્ટેજમાં ટોચના સ્થાને હશે તે વિજેતા બનશે. પ્લેઓફ અને એલિમિનેટરમાં પણ આ જ નિયમ લાગુ પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More