Home> Gujarat
Advertisement
Prev
Next

'રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો પછી...', રાજકોટ કેન્સર હોસ્પિટલના નર્સની હત્યામાં મોટો ખુલાસો

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે.

'રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો પછી...', રાજકોટ કેન્સર હોસ્પિટલના નર્સની હત્યામાં મોટો ખુલાસો

ગૌરવ દવે/રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે માવઠું આવશે! ફરી ઉડશે ધૂળની ડમરી, આ જિલ્લાઓના

રાજકોટના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં 'ઉમીયાજી કૃપા' મકાનમાં ઉપરના માળે છેલ્લા ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલની ગઈકાલે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઈ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી છે. હત્યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્યાની શક્યતાએ પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી છે. 

Viral News: ભાઈ-બહેનના લગ્નનો ભયાનક અંત! બાળકોને લાગી ભયાનક બીમારી, જાણો

પોલીસના કહેવા મુજબ, ઋષિકેશ પાર્ક-2માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના મકાનમાં ઉપરના માળે મુળ અમદાવાદના કુહા ગામના વતની ચૌલાબેન પટેલ રહેતા હતા. રાત્રે ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ ગયાની જાણ 108 મારફત થતાં યુનિવર્સિટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં હત્યાનો ભોગ બનેલા મહિલા રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કીમોથેરાપી વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાં. તેમની બદલી ચાર મહિના પહેલા જ અમદાવાદ સિવિલથી રાજકોટ થઇ હતી. અહીં તે ભાડેથી એકલા જ રહેતાં હતાં. જયારે હત્યાનો આરોપી પડોશમાં જ રહેતો કાનજી ભીમાભાઇ વાંજાને પડોશીઓએ પુરીને રાખ્યો હોઇ જેથી પોલીસે આવી તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો અને માથાકુટ થયા બાદ મારા પર હુમલો થતાં મેં વળતો પ્રહાર કર્યો હતો. જો કે તેની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. 

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, શોપિયામાં અથડામણમાં LeT ના 3 આતંકીનો સફાયો

મૃતકે અગાઉ લગ્ન કર્યા હતા પણ પતિ સાથે મનમેળ ન થતા તેમને થોડા સમયમાં છૂટાછેડા લઇ લીધા હતા. તેઓ છેલ્લ 24 વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશીને કહેતાં હતાં. 

ગુજરાતી છોકરીએ ટ્રેન્ડ છોડી દેખાડ્યા સંસ્કાર;બાંધણી દુપટ્ટો, લહેંગા પહેરી બની દુલ્હન

પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ પૂછતાછ હાથ ધરી છે. જોકે હત્યા નિપજાવનારો કાનજી ભીમાભાઇ વાંજા 34 વર્ષનો છે અને છુટક કામ કરે છે. તેની પત્નિ નાના મવા રોડ પર ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આરોપીની પત્નિએ પોતાને આ ઘટના બાબતે કોઇ જાણકારી નહિ હોવાનું રટણ કર્યુ હતું. પોલીસ તપાસમાં શું કારણ બહાર આવે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More