Home> Gujarat
Advertisement
Prev
Next

ધો. 10 પછી શું કરવું? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહ્યા છે આ કૃષિ અભ્યાસક્રમો, માર્કેટમાં ભારે ડિમાન્ડ

Gujarat Agriculture: આપણા કૃષિપ્રધાન દેશમાં આજે પણ ખેતીનું મહત્વ ઘટયું નથી. આ ક્ષેત્રમાં એક હરિયાળી કારકિર્દી આપણી રાહ જોઇ રહી છે. ગુજરાતમાં 1972માં બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ હતી. ધોરણ-10 પછીના કૃષિ વિષયક અભ્યાસક્રમ કૃષિ ડિપ્લોમા: બે વર્ષના આ કોર્સમાં ધો.10માં ખેતીના વિષયોને અગ્રીમતા અપાશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ સ્થળે કૃષિ વિદ્યાલયો ચલાવવામાં આવે છે. કૃષિ ડિપ્લોમા કર્યા પછી રાજ્ય સરકારની નોકરીઓમાં ખેતીવાડી મદદનીશ, ગ્રામસેવક વગેરે જેવા હોદ્દાઓ પર નોકરી મળી શકે છે. સ્વરોજગારીની પણ ઉજજવળ તકો છે

ધો. 10 પછી શું કરવું? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહ્યા છે આ કૃષિ અભ્યાસક્રમો, માર્કેટમાં ભારે ડિમાન્ડ

Sardar Krushi Nagar Agricultural University/ સંજય પંડ્યા: ભારત કૃષિ પ્રધાન દેશ છે, તેની 66% વસ્તી ગામડામાં રહે છે, 52 % વસ્તીની આજીવિકા અને જીવનનિર્વાહનું મુખ્ય સાધન ખેતી અને સંલગ્ન છે. હવે જયારે કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ સીંચાઈના વધતાં વિકલ્પ તથા પશુપાલન ક્ષેત્રે સહકારી માળખાના વિકાસના કારણે ખેતી-પશુપાલન ફક્ત જીવનનિર્વાહનું સાધન ન બનતા તેણે વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે ખેડૂત અથવા તો પશુપાલકનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. કૃષિ અને પશુપાલનને આધુનિક બનાવવા યુવાનો અને ખાસ કરીને ગ્રામ્ય યુવાનો ને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જોડવા પડશે. 

fallbacks

આધુનીક ખેતી અને નફાકારક પશુપાલનનો વ્યાપ વધારવો હશે તો ભાવિ પેઢીને એટલે કે યુવાનોને ખેતી, પશુપાલન અને બાગાયતના નવા નવા આયોમોમાં રસ લેતા કરવા પડશે આ માટે ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ વિધાર્થીઓએ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જોડાઈ પોતાની ખેતી/પશુપાલનને સમૃદ્ધ બનાવી શકશે. ગુજરાત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઑ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ કૃષિ સંલગ્ન ડિપ્લોમા (પોલિટેકનિક) અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં જોડાઈ ખેડૂતપુત્ર તજજ્ઞ બની તેની ખેતીમાં આમૂલ પરીવર્તન લાવી શકશે અને રોજગારી પણ મેળવશે. જેથી રોજગારીના અભાવે ગામડાથી શહેરો તરફની આંધળી દોડ પણ અટકશે અને ગામડાઓનો વિકાસ થશે અને ભાંગતા પણ બચશે. 

આ અભ્યાસક્રમોમાં મુખ્યત્વે કૃષિ, પશુપાલન, બાગાયત, ફોરેસ્ટ્રી, મત્સસ્યવિજ્ઞાન, ડેરી સાયન્સ, એગ્રી એન્જીન્યરીંગ, ફુડ ટેકનોલોજી, રીન્યુએબલ એનર્જી, હોમસાયન્સ અથવા કોમ્યુનિટી સાયન્સ, બાયો ટેકનોલોજી, એગ્રી ઈન્ફોરમેશન ટેકનોલોજી વગેરે મુખ્ય છે. 

ધોરણ-૧૦ પાસ વિધાર્થીઓ માટેના ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો હોય છે તથા ધોરણ ૧૨ પાસ વિધાર્થીઓ માટેના ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમો હોય છે. ગુજરાત રાજયમાં સરદારકૃષિનગર (દાંતીવાડા), આણંદ, જુનાગઢ અને નવસારી એમ ચાર કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ પશુપાલન યુનિવર્સિટી અસ્તિત્વમાં છે ત્યારે આ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો તેમના કાર્યક્ષેત્રમાં જુદી જુદી જગ્યાએ થાય છે. ધોરણ ૧૦ બાદના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો હોય છે જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન અને એગ્રી એન્જી. મુ જે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ અને પશુપાલન યુનિવર્સિટીમાં થાય છે. 

fallbacksfallbacks

૧) કૃષિ ડિપ્લોમા અભ્યાસક્રમ 
ગુજરાત રાજય કૃષિ યુનિવેર્સિટીઓ દ્વારા કુલ અગિયાર જગ્યાએ કૃષિ ડિપ્લોમા (પોલિટેકનિક)નો અભ્યાસક્રમ ચાલે છે, જે પૈકી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ડીસા, અમીરગઢ અને ખેડબ્રહ્મા ખાતે આ અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમ બાદ વિવિધ કૃષિ યુનિવેર્સિટીઓ, ખેતીવાડી ખાતું અને.જી.ઓ તથા અન્ય ખેતી સંલગ્ન વિભાગોમાં “ખેતીવાડી મદદનીશ” તરીકેની નોકરી મળી શકે છે.

આ ઉપરાંત જંતુનાશક દવા, બિયારણ, રાસાયણિક-સેન્દ્રિય ખાતર વગેરે કૃષિ સંલગ્ન વ્યવસાયમાં ફિલ્ડ આસિસ્ટન્ટ અથવા ફિલ્ડ ઓફિસરની નોકરીની પણ ઊજળી તકો રહેલ છે. આ ઉપરાંત ડ્રીપ અથવા સ્પ્રિન્કલ ઈરિગેશન કંપનીઓ ગુજરાત રાજયમાં સારું એવું કામકરી રહે છે. આ કંપનીઓમાં પણ કૃષિ ડિપ્લોમા અભ્યાસ કરેલ વિધાથી રોજગારી મેળવી સારું એવું નામ અને દામ મેળવી શકે છે. 

(૨) બાગાયતનો ડિપ્લોમાના અભ્યાસક્રમ: 
ગુજરાત રાજય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ પાંચ સ્થળોએ બાગાયત ડિપ્લોમા (પોલિટેકનિક) નો અભ્યાસક્રમનું ચાલે છે, જે પૈકી અત્રેની યુનિવેર્સિટી હસ્તક જગૂદણ ખાતે આ અભ્યાસક્રમ ચાલે છે. ગુજરાત રાજયમાં ફળ, શાકભાજી, મરી મસાલા જેવા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ રાજગારીની વિપુલ તકો રહેલી છે. નેશનલ હોર્ટીકલ્ચર મિશન, બાગાયત ખાતું તથા કૃષિ યુનિવર્સિટીઓમા “બાગાયત મદદનીશ''ની જગ્યાઓ પર નોકરીની વિશાળ તકો રહેલ છે. આ ઉપરાંત નર્સરી મેનેજમેન્ટ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને ટાઉન પ્લાનિગ વગેરે જગ્યાએ પણ રોજગારી મળી શકે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિપ્લોમાથી ડિગ્રી પ્રવેશ પરીક્ષાના મેરીટ ના આધારે સીધું સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે. 

(૩) ફૂડ ટેકનોલોજી અને ન્યુટ્રીશન ડિપ્લોમાના અભ્યાસક્રમ 
ફુડ ટેક્નોલોજી અને ન્યુટ્રિશનનો ડિપ્લોમા અભ્યાસક્રમ સરદારકૃષિનગર મુકામે ચાલે છે. જે ત્રણ વર્ષનો છે. લોકોની તંદુરસ્તી અને ખોરાક પ્રત્યની જાણકારી અને જાગૃતતાને ધ્યાનેમાં લઈએ તો આ પોલિટેકનિક અભ્યાસક્રમનું મહત્વ અનેરૂ છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિપ્લોમાથી ડિગ્રી પ્રવેશ પરીક્ષાના મેરીટ ના આધારે સીધું સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More