Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક: દિલ્હીના રાજપથ જેવી નીકળી ભવ્યાતિભવ્ય નગરયાત્રા

Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.

રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક: દિલ્હીના રાજપથ જેવી નીકળી ભવ્યાતિભવ્ય નગરયાત્રા

રક્ષિત પંડ્યા, રાજકોટ :રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.

fallbacks

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા

રજવાડી ઠાઠ સંપૂર્ણ રીતે અહી જાળવી રાખવામાં આવ્યો છે. રાજકોટના રસ્તા પર જોવા મળી રહેલો આ ઠાઠ બતાવે છે કે, હજી પણ ભારતમાં રાજાશાહી પરંપરા જીવે છે. શાહી પરિવારની ચાંદીની બગીમાં માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળી છે. ખરા અર્થમાં જાડેજા પરિવારે રાજવી પરંપરાની જાળવી રાખી છે.  

36 જેટલી વિન્ટેજ કારમાં રસાળો નીકળ્યો છે. દેશભરના 70 રાજવી પરિવારો રાજ્યાભિષેકના સાક્ષી બન્યા છે. રાજકોટના રસ્તા પર આ નગરયાત્રાને જોવા માટે જનમેદની ઉમટી પડી છે. વિન્ટેજ કારમાં મોટો કાફલો રાજકોટના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાજકોટવાસીઓ તેમના 17મા રાજાને વંદન કરતા પણ જોવા મળ્યા હતા. તો સાથે જ, વિન્ટેજ કારના શોખીનો માટે આ નજારો ખાસ બની રહ્યું હતું. દેશભરમાંથી ખાસ મહેમાનોને આ પ્રસંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નગરયાત્રા દ્વારા માંધાતાસિંહજીનો પરિવાર આશાપુરા માતાના દર્શન કરવા પહોંચશે.   

સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું-અમે સરકારને ખુલ્લા પાડીશું....

રાજગાદી સંભાળતા પહેલા રાજાએ પોતાનાં રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે, જે પરંપરા આજે રાજકોટમાં જોવા મળી રહી છે. આ પરંપરાને રાજકોટનાં રાજવી પરીવાર પણ જાળવી રાખશે. એટલું જ નહિં રાજ્યાભિષેક વિધિમાં 100 જેટલા મુળિયા અને ઔષધીનો ઉપયોગ અને 31 તીર્થજળનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ રાજતિલક વિધી કરીને ગાદી ગ્રહણ કરશે. રાજ્યાભિષેક માટે વસંત પંચમીનો શુભ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More