Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં લૂંટ વિથ મર્ડર; સોનાના દાગીના માટે ગળું કાપી કરપીણ હત્યા, આ રીતે મળ્યું તડપતું મોત

Rajkot News: રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નંબર 1માં એકલા રહેતા 70 વર્ષના વૃધ્ધના ઘરેણાં લૂંટી કરપીણ હત્યા નિપજાવી હતી. 

રાજકોટમાં લૂંટ વિથ મર્ડર; સોનાના દાગીના માટે ગળું કાપી કરપીણ હત્યા, આ રીતે મળ્યું તડપતું મોત

ગૌરવ દવે/રાજકોટ: ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રીનગર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા મુસ્લિમ વૃધ્ધની લૂંટના ઈરાદે ગળું ચીરીને કરપીણ હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી છે. અજાણ્યા લૂંટારૂએ મૃતકના હાથમાંથી સોનાના દાગીના લૂંટી લીધા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે મોડી રાત્રે મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

fallbacks

ભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર: ગુજરાતને ચોમાસા માટે હજુ જોવી પડશે લાંબી રાહ!

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નં. ૧માં એકલા રહેતા ૭૦ વર્ષના વૃધ્ધના ઘરેણાં લૂંટી કરપીણ હત્યા નિપજાવી હતી. બનાવના પગલે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને ભકિતનગર પોલીસ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સીસીટીવી આધારે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. દુધ સાગર રોડ દૂધની ડેરી સામે અર્થ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં ૧૦૨માં રહેતા રમજાનભાઈ ગુલામહુશેન લાખાણીએ ભકિતનગર પોલીસમાં અજાણ્યા શખસ તથા તપાસમાં ખુલે તે સામે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તોએ શરૂ કરી છે. પોલીસના કહેવા મુજબ, હત્યા કોણે કરી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લૂંટ થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.

ગુજરાત પોલીસના રીયલ કોપ હવે ‘જ્ઞાનવાપી ફાઈલ્સ’માં ભજવશે મહત્વની ભૂમિકા

ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમો પાંચ ભાઈ તથા ત્રણ બહેનો છે. તેમાંના મોટા ભાઈ બરકતભાઈ ગુલામહુશેનભાઈ લાખાણી જેઓ વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નં. ૧માં એકલા રહેતા હતા. તેના પત્નિ ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ છે. શુક્રવાર રાત્રીના ઘરે હતો ત્યારે ભત્રીજા રાજેશ નો ફોન આવ્યો અને કહ્યું કે બરકત કાકા તેના ઘરે પડી ગયા છે. તે સીરીયસ જેવું લાગે છે. જેથી આપણે જવું પડશે તેમ વાત કરતા ઉપરોક્ત સરનામે ઘરે પહોંચ્યો ત્યારે આસપાસ લોકો એકઠા થયેલા હતા. જેથી ઘરમાં જઈ તપાસતા મોટાભાઈ હોલમાં રહેલ સોફાની બાજુમાં લોહી લોહાણ હાલતમાં પડેલ હતા. તેમજ હાથોની આઠેય આંગળીઓની સોનાની વીંટીઓ, ઘડીયાળ તથા લકી જોવા મળેલ ને હતી. આમ કોઈએ મોટાભાઈની લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. 

સસરા જમાઈની જોડી વલસાડમાં બની માથાનો દુ:ખાવો, બન્નેના કાંડ સાંભળીને ઉડી જશે હોંશ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બરકતભાઈ લખાણી એકલા રહેતા અને સંતાનમાં એક પુત્ર જે આફ્રિકા રહે છે. તેમજ પુત્રી સુરત ખાતે સાસરે છે. સમીસાંજે પુત્રએ પિતાને ફોન કરેલ પરંતુ વૃદ્ધએ રીસીવ ન કરતા પિતરાઈને ઘરે તપાસ કરાવવા મોકલતા હત્યાની જાણ થઈ હતી. જોકે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી છે. હત્યામાં કોઈ જાણ ભેદુ હોવાની પોલીસને શંકા છે જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More