Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા, કુલ 1148 કરોડ રૂપિયાની સહાય ચુકવાય

PM Samman Nidhi 19th Installment Released: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. 

ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા, કુલ 1148 કરોડ રૂપિયાની સહાય ચુકવાય

PM Kisan Samman Nidhi beneficiary: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી ચૂકવવામાં આવી હતી. 

fallbacks

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનએ દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત આ કિસાન સન્માન નિધિ યોજના ૨૦૧૯થી જાહેર કરેલી છે. 

આ યોજના અંતર્ગત કિસાન પરિવારોને પ્રતિવર્ષ કુલ ૬ હજાર રૂપિયાની સહાય ડી.બી.ટી.થી ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા ૧૮૮૧૩.૭૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 

કેન્દ્ર સરકારે ૨૦૨૪-૨૫ માટે તુવેરનો ટેકાનો ભાવ ૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. તદ્દઅનુસાર રાજ્યમાં ૨૦૦ જેટલા ખરીદ કેન્દ્રો પરથી ૨.૬ લાખ મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે. આ હેતુસર અત્યાર સુધીમાં ૧ લાખ ૨૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પણ કરાવી છે.

આ પણ વાંચોઃ ઠંડી ગઈ હવે ગરમીનો વારો, આ વિસ્તારમાં યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોની સાથે ઊભી રહી છે. નાના ખેડૂતો માટે કિસાનહિત અભિગમથી શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની છે. તેમણે કહ્યું કે, જો નિયત નેક અને સેવાની ભાવના હોય તો કિસાન હિતકારી અને જનસેવા લક્ષી કામો કેવી ગતિએ થઈ શકે તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ચીંધેલા માર્ગે ચાલીને રાજ્ય સરકારે પણ સમગ્ર કૃષિ ક્ષેત્રને સમયાનુકૂળ બનાવવા અનેક પહેલ કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ આ વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે ૨૨,૪૯૮ કરોડ રૂપિયાની જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા પણ કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ કિસાન સન્માન સમારોહના પ્રારંભે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય મંત્રી  બચુભાઈ ખાબડ અને અન્યની ઉપસ્થિતિમાં કૃષિ એવોર્ડ વિજેતા ધરતીપુત્રોનું સન્માન ગૌરવ પણ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More