Health Tips : વધુ પડતું કામ અને દોડધામને કારણે થાક લાગવો એ સામાન્ય બાબત છે. આ શારીરિક અને માનસિક બંને હોઈ શકે છે. પરંતુ જો તમે પૂરતો આરામ કરવા છતાં થાક અને નબળાઈ અનુભવો છો, તો પરિસ્થિતિ ગંભીર છે. આ કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે થાક અને નબળાઈના એક કરતા વધુ કારણ હોઈ શકે છે. ખોરાકમાં પોષણની અછત, માનસિક તાણ, નબળી જીવનશૈલી, પૂરતી ઊંઘ ન મળવાથી અથવા રોગોને કારણે આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં એ જાણી લઈએ કે કામ કર્યા વિના થાક કેમ લાગે છે.
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
પૂરતો આરામ કરવા છતાં થાક લાગવાના કારણો
પોષક તત્વોનો અભાવ - હેલ્થ એક્સપર્ટ કહે છે કે જે લોકોને યોગ્ય પોષક તત્વો નથી મળતા તેઓ વધુ થાક અનુભવે છે. ખાસ કરીને શરીરમાં આયર્નની ઉણપને કારણે હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે અને ઓક્સિજનનો પુરવઠો યોગ્ય રીતે મળતો નથી. જેના કારણે વ્યક્તિ વધુ થાક અનુભવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં લગભગ 30% લોકોમાં આયર્નની ઉણપ છે. આ સિવાય વિટામિન ડી અને બી12ની ઉણપ પણ થાકનું કારણ બની શકે છે.
ડિપ્રેશન - અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના મતે લાંબા સમય સુધી તણાવને કારણે શરીરમાં એનર્જી ઘટી જાય છે. ક્રોનિક સ્ટ્રેસ અને ડિપ્રેશનને કારણે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે, જેના કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે. આનું એક કારણ એ છે કે વધુ પડતી ચિંતા ઊંઘ પર અસર કરવા લાગે છે, જેનાથી થાક વધુ આવે છે.
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
એનિમિયા અથવા થાઇરોઇડ - એનિમિયાને કારણે તમને વધુ થાક પણ લાગે છે. આ રોગમાં શરીર પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો બનાવી શકતું નથી અને ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ જાય છે, જેનાથી થાક અને નબળાઈ આવી શકે છે. આ સિવાય થાઈરોઈડ પણ શરીરમાં સુસ્તી અને થાકનું કારણ બની શકે છે.
Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી આપે છે. આ કોઈ પણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. તેથી વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Zee 24 કલાક આ માહિતીની જવાબદારી લેતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે