અશોક બારોટ/જુનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક મોટા કોટડા ખાતે અનુસૂચિત જાતિનું મહા સંમલેન યોજાયું હતું.. જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણી ખાસ હાજર રહ્યા હતા..
BJP President: જુલાઈમાં ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, બધું જ છે ફાઈનલ! આ 5 નામ
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયાના સમર્થનમાં આયોજિત અનુસૂચિત જાતિ મહાસંમેલનમાં જીગ્નેશ મેવાણીએ પોતાના સંબોધનમાં જણાવેલ કે ભાજપ સરકાર આતંકવાદીઓને પકડવાને બદલે સિંદૂરની ડબલીઓ વેચવા નીકળી છે..પહેલગામ હુમલાના 4 આતંકીઓને સરકાર પકડીને બતાવે તેવી ચેલેન્જ કરી હતી. દિલ્હીમાં 100 માંથી 93 પીવાના પાણીના સેમ્પલ ફેલ આવે છે તેવું પણ જણાવ્યું હતું.
હેવાનીયતની હદ પાર! 51 વર્ષીય આધેડે માસૂમ 13 વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ
દિલ્હીમાં કેજરીવાલની સરકારમાં મોહલ્લા ક્લિનિકમાં વેક્સીનેસન પણ થતુ નહોતું. ઉપરાંત ઉના ઘટના સમયે રાહુલ ગાંધી સાથે હતા. હાથરસ ઘટનામાં રાહુલ ગાંધી સાથે હતા તેવું પણ પોતાના સંબોધનમાં જણાવેલ..મેવાણીએ જણાવેલ કે કોંગ્રેસ દરેક મુદ્દા માટે લડશે..વોટ બેન્કની પરવા રાજીવ ગાંધીએ ક્યારેય નહોતી કરી. અનામત અને બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે દલિત સમાજનો એક વર્ગ મધ્યમ તૈયાર કોંગ્રેસના કારણે થયો હોવાનું જણાવ્યં હતું.
હવે ACનું ટેમ્પરેચર તમારી મન મર્જીથી નહીં કરી શકો અપ-ડાઉન, સરકારે નક્કી કરી લિમિટ!
કોરોનાકાળમાં નીતિન રાણપરીયા એ ખુબ સેવા કરી હોવાની વાત પણ જણાવી હતી. જીગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય હોવાનું કહ્યું અને જાતિ જનગણના મુદ્દે મોદીએ રાહુલ ગાંધી સામે ઝૂકવું પડ્યું હોવાનું જણાવ્યું. બાદમાં મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવેલ કે તેમની લડાઈ બડા રિચાર્જ એટલે ભાજપ અને છોટા રિચાર્જ આપ પાર્ટી બંને હારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે