ચેતન પટેલ/સુરતઃ રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કોરોના વોરિયર બનીને લોકોની સેવા કરી રહેલા ડોક્ટરો, નર્સ અને પોલીસકર્મિઓ પણ આ સંક્રમણના શિકાર બન્યા છે. હવે શહેરની નવી સિવિલ હોસ્પિટલના એક સીનિયર નર્સનું કોરોના વાયરસને લીધે નિધન થયું છે. 57 વર્ષીય અસ્મિકાબેન પટેલ મોતને ભેટ્યા છે. તેઓ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા હતા.
થોડા દિવસ પહેલા તેમને શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો થતો હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 12 દિવસથી MICUમાં સારવાર લઈ રહ્યાં છે. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના મોતને લઈને પરિવાર પણ આઘાતમાં છે. તો હોસ્પિટલમાં કામ કરતા અન્ય સ્ટાફના લોકો પણ ચિંતિત છે.
કોરોનાને ડામવા સુરત મનપાની નવી રણનીતિ
સુરત શહેરમાં સતત વધી રહેલા સંક્રમણને લઈને મહાનગર પાલિકા ચિંતામાં છે. કોરોનાને કંટ્રોલ કરવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હવે પાલિકાએ દરરોજ 5 હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જે વ્યક્તિઓને તાવ, શરદી, ઉધરસ હોય તેવા વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જો મનપા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવશે તો કેસ પણ વધશે તેવી શક્યતા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે