Visavdar Byelection : વિસાવદરની પેટાચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે. આ ચૂંટણી પર સૌની નજર છે. ત્યારે વિસાવદર પેટાચૂંટણી પર વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ છે. શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. જાંબુડીના સરપંચ લાલજી કોટડીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાંથી પીટિશન પરત ખેંચી લેતા પેટાચૂંટણી માટે દરવાજા ખુલી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિસાવદર પેટાચૂંટણીમાં સક્રિય બની છે. વિસાવદરની પેટાચૂંટણી ફરી એક ઐતિહાસિક સમયગાળો બની રહેશે તેવું લાગી રહ્યું છે. કેશુભાઈ પટેલના ગઢમાં પેટાચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાનું મોટું સંમેલન યોજાયું હતું. જેમાં શંકરસિંહ વાઘેલાએ આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં ફરી રાજકીય સમીકરણોમાં ઊથલપાથલની શક્યતા છે.
શંકરસિંહ વાઘેલાએ વિસાવદરમાં જીતના નિર્ધાર સાથે ઉમેદવારની જાહેરાત કરી છે. આજે સંમેલન દરમિયાન તેમણે વિસાવદરના સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેના બાદ લાલજી કોટડીયાને પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે.
PM મોદીને મળ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજકારણમાં જલ્દી નવાજૂની થશે
શંકરસિંહ બાપુની એન્ટ્રી
વિસાવદરની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની હિલચાલ તેજ બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ગતિવિધિ તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જૂનાગઢની મુલાકાતે ગઈકાલે આવી પહોંચ્યા હતા. તો આજે તેઓ વિસાવદર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વિસાવદરની મુલાકાત પહેલાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા લોકોને અપીલ કરી હતી.
બાપુ વિસાવદરમાં એક્ટિવ થયા
આમ, વિસાવદરની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો પોલિટિકલ જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટી એકલા હાથે વિસાવદરની ચૂંટણી લડશે, કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દીધી. ભાજપ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરે તે શક્યતા ઓછી છે. પરંતુ શંકરસિંહ બાપુ પણ અત્યારથી એક્ટિવ થઈ ગયા છે. વિસાવદરમાં શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આજે બાપુનું સંમેલન, પાર્ટીને મજબૂત કરશે
તેઓ 22 એપ્રિલ, 2025ના રોજ વિસાવદર ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલનને યોજ્યું હતું. આ સંમેલન વિસાવદરના સુંદરબા બાગ હોલ ખાતે યોજાયું હતું. વિસાવદર વિધાનસભા બેઠક માટે સંભવિત પેટાચૂંટણી પહેલા યોજાઈ રહેલું આ સંમેલન રાજકીય રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. શંકરસિંહ વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
PM મોદીને મળ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજકારણમાં જલ્દી નવાજૂની થશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે