cholera affected: ગુજરાતના ખેડાના નડિયાદના શાંતિ ફળિયા વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. શાંતિ ફળિયામાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નડિયાદમાં કોલેરાના કેસો વધતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે. શાંતિ ફળિયા, અમદાવાદી દરવાજા સહિત કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. તંત્રએ પાણીપુરી, બરફ ગોળા સહિતની લારીઓ બંધ કરાવી હતી.
શહેરના અમદાવાદી દરવાજા તેમજ શાંતિ ફળિયા વિસ્તાર ઉપરાંત આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. શહેરના શાંતિ ફળિયામાં 1 કોલેરાનો કેસ મળ્યો છે. આ વિસ્તારમાં હજુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલા લેવાયા છે અને પાણીપુરી, બરફની લારી સહિત અન્ય હાટડીઓ બંધ કરાવી હતી. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જાહેરનામુ બહાર પાડ્યું છે.
બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલાને દાખલ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર હેઠળ છે. પીવાના પાણીની પાઈપલાઈન દૂષિત પાણી ભળી જતા કોલેરા ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મનપાએ પાઈપલાઈનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
સિવિલમાં 12 બાળક સહિત 22 મહિલા સારવાર હેઠળ
સિવિલ હોસ્પિટલમાં બાળકો સહિત મહિલાઓ દાખલ છે. સિવિલમાં 12 બાળક સહિત 22 મહિલા સારવાર હેઠળ દાખલ કરાયા છે. ત્યારથી મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કલેક્ટરના જાહેરનામા બાદ સિવિલમાં અલગથી આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. અહીંના લોકોને ગરમીમાં બહારનું ખાવાનું ટાળવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે