અમદાવાદ : અમદાવાદની પરંપરા એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા આયોજીત નૃત્ય પરંપરા અને સંસ્કૃતિક મહોત્સવ ૨૦૧૮માં આપણી સમૃધ્ધ સંસ્કૃતિના હિસ્સારૂપ ભારતના શાસ્ત્રીય નૃત્યનાં ભિન્ન સ્વરૂપો રજૂ કરાયા હતા. શહેરના સંગીત અને નૃત્યના ચાહકો આ કાર્યક્રમ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ભરતનાટ્યમ, કુચીપૂડી, માર્શલ આર્ટસ અને ભારતીય સમકાલીન નૃત્યના પરફોર્મન્સથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત ભાવવાહી બાંસુરીવાદનની સાથે તબલા અને પખવાજની સંગતથી અહીં એકત્ર થયેલા રસિકો ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા. પરંપરા તેનાં સ્થાપક નૃત્યાંગના બીજલ હરીયાના માર્ગદર્શન હેઠળ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો સ્વરૂપોને પ્રચલિત બનાવી રહી છે.
આ સમારંભમાં અમદાવાદના મેયર બીજલ પટેલ, મુખ્ય મહેમાન તરીકે, ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર રાજેન્દ્ર ખીમાણી અને આઈસીસીઆરના રીજીનલ ઓફિસર સુભાષ સિંઘ હાજર રહ્યાં હતાં. આ સમારંભમાં હાજર રહેલા અન્ય જાણીતા મહાનુભવોમાં પદ્મભૂષણ શ્રીમતી કુમુદિની લાખીયા, પદ્મશ્રી ડો. સુનિલ કોઠારી, નૃત્યગુરૂ શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડો. એ.એમ ઉપાધ્યાય, ડો. એસ.ડી.દેસાઈ અને વરુણ માયરાનો સમાવેશ થતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે