ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા ચોરવડલા ગામમાંથી આશ્વર્યચકિત કરી નાખનાર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી વાલીઓની ચિંતા વધી ગઈ છે. ભાવનગરમાં માત્ર 5 વર્ષનાં બાળકની સાથે વિચિત્ર ઘટના ઘટી છે. બાળકનાં કાનમાંથી વંદો અને તેનાં બચ્ચા નીકળ્યા હોવાનો બનાવથી ખળભળાટ મચ્યો છે. સણોસરા ગામની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકનાં કાનમાંથી 15 જેટલા વંદા બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોટા કોટડાથી જીગ્નેશ મેવાણીએ સરકારને ફેંક્યો મોટો પડકાર, જાણો શું આપી ચેલેન્જ?
સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી ઘણાં સમયથી કાનમાં જીણો જીણો દુઃખાવો થવાની ફરિયાદ કરી રહી હતી. જો કે તેના પર બહુ ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 10-06-2025ના રોજ આ બાળકીને કાનમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો સહન નહીં થતા માત્ર પાંચ વર્ષની બાળકી જોર જોરથી રડવા લાગી હતી. જેથી પરિવારજનો તબીબ પાસે લઇ ગયા હતા. જ્યાં તપાસ તેની કરીને બાળકના કાનમાંથી 15 જેટલા વંદા અને તેના બચ્ચા કાઢવામાં આવ્યા છે.
સોનમે રાજ માટે થઈને નહીં પરંતુ આ ચક્કરમાં રાજાની હત્યા કરાવી? પિતાનો ચોંકાવનારો દાવો
ચોરવડલા ગામની આ વિચિત્ર ઘટના જોઇને ડોક્ટરો પણ ચોંક્યા હતા. આ ઘટનાએ તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. ડોકટરો પણ અચંબિત છે કે કાન જેવા સંવેદનશીલ અંગમાં વંદા કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જીવિત રહી શક્યા. આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે.
રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી અપડેટ, ચારેય આરોપીઓએ ગુનો કબૂલ્યો, જાણો
જ્યાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો. રાહુલભાઈ પરમારે દૂરબીન દ્વારા બાળકીના કાનમાં જોયું ત્યારે તેમને કાનમાં જીવાત દેખાઈ હતી. ત્યારબાદ તબીબ દ્વારા આ પાંચ વર્ષની બાળકીનાં કાનમાંથી એક બે નહીં પરંતુ વંદાના 15 બચ્ચાને બહાર કાઢી બાળકીને પીડામાંથી મુક્તિ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે