Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાંડેસરામાં આર્થિક તંગીના લીધે રીક્ષા ચાલકે આપઘાત કર્યો છે. જય અંબે સોસાયટીમાં રહેતો 40 વર્ષીય રામજી મંડલે ઘર પાસે એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે.
પુત્રીના લગ્ન કરવા ફાઇનાન્સ કંપની સહિત અન્ય લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો રૂપિયા 7000 નો હપ્તો ભરવાનો હતો. ભાડાના મકાનમાં રહેતા રામજી બચત પર ઓટો રીક્ષા ચલાવતો હતો. આર્થિક તંગીને લઈને પતિ પત્ની વચ્ચે બોલાચાલ પણ થતી હતી. રીક્ષા ચાલક હતાશમાં આવી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના વતની હાલ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રામજી મંડલના પરિવારમાં પત્ની સહિત ત્રણ સંતાન છે. તેમના પુત્રીના લગ્ન થઈ ગયા છે. રામજીએ પુત્રીના લગ્ન માટે ફાઇનાન્સ કંપની માંથી લોન લીધી હતી. એટલું જ નહીં અલગ અલગ લોકો પાસેથી વ્યાજે પૈસા પણ લીધા હતા. તેના બાદ રામજીની પત્નીને હાર્ટ એટેક આવતાં તેના સારવાર માટે પણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. પુત્રીના લગ્નના ખર્ચની સાથે પત્નીના સારવાર માટે પણ વ્યાજે લીધેલા પૈસા તે સમયસર લોકોને ચૂકવી શકતો ન હતો. તેમજ અનેકો વખત લોકો સહિત ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ પૈસા સતત માંગતા રહેતા હતા.
ભાવનગરથી ભયાવહ દ્રશ્યો : રેસ્ક્યૂ કરવા ગયેલા 3 તરવૈયા ફસાયા, PI દોરડુ બાંધી કૂદી ગયા
આ વિશે તેમના એક સંબંધી મનોજ કુમારે જણાવ્યું કે, રીક્ષા ચાલક રામજીને સતત ફાઇનાન્સ કંપની સહિત જેમની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, તેઓ સતત ફોન કરીને પૈસા માંગતા રહેતા હતા. આ વાતને લઈને રીક્ષા ચાલક રામજી અને તેની પત્ની વચ્ચે બોલાચાલી પણ થતી હતી. રામજી બીજા વ્યક્તિની ઓટોરિક્ષા ચલાવતો હતો અને તેને પણ રિક્ષાની બચત ચૂકવતો હતો.
એટલું જ નહીં ભાડાનું મકાનમાં રહી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક તરફ ફાઇનાન્સના કર્મચારીઓનો હપ્તા ભરવા દબાણ તો બીજી બાજુ વતનમાં રહેતા લોકો પાસેથી લીધેલા પૈસા પરત આપવાની ચિંતા સતત રામજીને સતાવતી હતી. રામજીનો આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો 7000 નો હપ્તો પણ હતો. ઘરમાં સર્જાતી આર્થિક તંગીને લઈને પતિ પત્ની વચ્ચે બોલાચાલ થતાં આખરે રામજીએ ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી આપઘાત કરી લીધો હતો.
રત્ન કલાકારો પણ મોત વ્હાલુ કરી રહ્યાં છે
મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક રત્ન કલાકારો આપઘાત પણ કરી ચૂક્યા છે. ત્યારે હીરા મંદિર બાદ અનેક એકમોમાં પણ સર્જાયેલી મંદીના લીધે લોકો ક્યાંક બેરોજગાર પણ બની રહ્યા છે. ત્યારે હાલ આર્થિક મંદીના લીધે પાંડેસરામાં ઓટો રીક્ષા ચાલકે આપઘાત કરી લીધો છે. રીક્ષા ચાલક પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. બંને સંતાનો હાલ બેરોજગાર છે.
અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી નીકળી, તાત્કાલિક કેન્સલ કરાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે