Cardamom Benefits: એલચીને મસાલાઓની રાણી કહેવાય છે. એલચીનો ઉપયોગ કરવાથી ખાદ્ય પદાર્થોમાં સ્વાદ અને સુગંધ વધે છે. આ એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટનું જણાવવું છે કે રોજ એલચી ચાવીને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. આજે તમને એલચી ચાવીને ખાવાથી થતા કેટલાક ફાયદા વિશે જણાવીએ.
આ પણ વાંચો: Ajwain: આ 5 બીમારી હોય તેણે ન પીવું અજમાનું પાણી, ફાયદો નહીં ભયંકર નુકસાન કરશે અજમો
પાચન સુધરે છે
એલચીમાં એવા એન્જાઈમ હોય છે જે પાચનને એક્ટિવ કરે છે. જેના કારણે ખાધેલો ખોરાક ઝડપથી પચે છે અને સારી રીતે પચે છે. જમ્યા પછી એલચી ખાવાથી ગેસ, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યા ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવે તેની 2 મિનિટની અંદર આ કામ કરવામાં આવે તો ટળી શકે છે મોત
એસિડિટી અને બળતરાથી રાહત થશે
જો તમને જમ્યા પછી પેટમાં બળતરા થતી હોય કે વારંવાર એસિડિટી થઈ જતી હોય તો એલચી ખાઈને આ સમસ્યા દૂર કરી શકાય છે. જ્યારે પણ વધારે તેલવાળું કે તીખું ભોજન કર્યું હોય ત્યાર પછી 2 એલચી ચાવીને ખાઈ જવી તેનાથી રાહત મળશે.
આ પણ વાંચો: રક્તદાન બીજા માટે જ નહીં આપણા શરીર માટે પણ ફાયદાકારક, જાણો રક્તદાન કરવાથી થતા લાભ
ઓરલ હેલ્થ સુધરશે
એલચી ચાવીને ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થઈ શકે છે એલચી નેચરલ માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢામાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને ખતમ કરે છે. જમ્યા પછી એલચી ચાવીને ખાવાથી મોં બરાબર સાફ થઈ જાય છે અને બેક્ટેરિયા જમા થતા નથી.
આ પણ વાંચો: માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ ખાઈ શકે શિલાજીત, કઈ તકલીફમાં મહિલાઓએ ખાવું શિલાજીત ?
એન્ઝાઈટી કંટ્રોલ થશે
એલચીનો સ્વાદ અને સુગંધ એવા હોય છે જે સ્ટ્રેસને રિલીઝ કરવામાં મદદ કરે છે. એલચી ખાવાથી મૂડ સુધરે છે. એલચીની સુગંધ મગજને શાંતિ આપે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે