Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરો લાખો રૂપિયાનું દેવું કરીને ક્યાંક ચાલ્યો ગયો, અને પિતાને મરવાનો વારો આવ્યો

Surat Father Suicide : સુરતમાં પુત્રએ કરેલા દેવાની પિતાએ ચૂકવી કિંમત..પુત્ર દેવું કરી ભાગી જતા લેણદારો પિતાને કરતા હતા પરેશાન..ધમકીથી કંટાળી પિતાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા
 

દીકરો લાખો રૂપિયાનું દેવું કરીને ક્યાંક ચાલ્યો ગયો, અને પિતાને મરવાનો વારો આવ્યો

Surat News : સુરત અમરોલી વિસ્તારની ઘટના હચમચાવી દે તેવી છે. પુત્રએ દેવું કર્યું, ને મરવાનો વારો પિતાને આવ્યો. ભાગીદાર-લેણદારોએ હેરાન કરતા આધેડે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું છે. સ્યૂસાઈડ નોટમાં આધેડે લખ્યું કે, મારી પાસે કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા?

fallbacks

સુરતમાં આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એક હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. કારણ કે, પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરી પરેશાન કરતા હતા. અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે.

સુરતના અમરોલી વિસ્તારના પ્રમુખ હાઈટ્સમાં રહેતા 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. પ્રાગજીભાઈ મૂળ ભાવનગરના લીમડાના વતની હતી. તેમને સંતાનમાં બે દીકરા અને ચાર દીકરીઓ હતી. તેઓ હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેમનો મોટો પુત્ર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, તો બીજો પુત્ર રવિ હોટ ફિક્સ મશીન ચલાવતો હતો. નાનો દીકરો લાખોનું દેવું કરીને ક્યાંક જતો રહ્યો હતો. જેથી તેના લેણદારો પ્રાગજીભાઈને માનસિક ત્રાસ આપતા હતા. તેમને અને તેમના પરિવારજનોને ધમકી આપતા હતા. તેથી ટેન્શનમાં આવીને પ્રાગજીભાઈએ આપઘાત કરી લીધો હતો. 

સ્વામી તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય, જલારામ બાપાના અપમાન મુદ્દે બોલ્યા નથવાણી

પિતાએ સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું 
પ્રાગજીભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રવિ વયો ગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યુ શું નહીં, આશિષને કોઈ હેરાન કરતા નહી, મારી છોકરીઓને ખાવા-રહેવાનું એ પૂરું પાડશે એને કોઈ જાતની ખબર પણ નથી. એમાં માથું પણ મારતો નથી અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો, ત્યારે તે કહેતો કે બધું બરાબર છે. જરૂર પડે ત્યારે પૈસા આપતો, ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા એમને ખબર હતી. હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને, ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે. ધમકી આપે છે કે, તમને મારી નાખી, સુરતમાં નહીં રહેવા દઉં, હું કોણ છું, સૃષ્ટિમાં મારું નામ છે. પૈસા મારે સાંજ સુધીમાં જોઈએ, મારી પાસે કંઈ નથી, હું શું કરું, હું દવા પીઉં છું મને મરવા દેજો. મારી બૈરી, છોકરીયું અને આશિષ નિર્દોષ છે તેને જીવવા દેજો. નકર મારી ફુલ જેવી દીકરીયુંને કોણ મોટી કરશે. મારી પાસે ખાવા કંઇ નથી, ક્યાંથી લાવું પૈસા, બસ હું દવા પી જાવ છું. જય માતાજી, પ્રાગજીભાઈ.

પોતાની સ્યૂડસાઈડ નોટમાં તેમણે કહ્યું હતું કે, હું મરી જાઉ ત્યારે મારી ચારે છોકરી મારી ઠાઠડીને હાથ દે અને તેને સાચવજો. આમ, પ્રાગજીભાઈના મોતને પગલે આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારે મોભી ગુમાવ્યા છે. 

ગુજરાતના આ શહેરમાં હોળીની ઉજવણી પર મૂકાયો પ્રતિબંધ, પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More