Home> Gujarat
Advertisement
Prev
Next

'હિંદુ-મુસલમાનોને અલગ કર્યા અને હિન્દુઓને ગોળી મારીને ભાગી ગયા....", પિતા શૈલેષભાઈને ગુમાવનાર પુત્રની આપવીતી

આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓને અંતિમ વિદાય આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા.પરિવારોએ ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.

'હિંદુ-મુસલમાનોને અલગ કર્યા અને હિન્દુઓને ગોળી મારીને ભાગી ગયા....

Surat News: પહેલગામ આતંકી હુમલામાં પોતાના પરિવાર સામે સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું છે.  આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. શૈલેષભાઈ કળથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભાઈના ઘરેથી શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નિકળી છે. દીકરી અને બહેનોએ શૈલેષભાઈની અર્થીને કાંધ આપી છે. તમને જણાવી દઈએ કે પત્ની અને સંતાનોની નજર સામે શૈલેષભાઈને ગોળી મારવામાં આવી હતી.

fallbacks

પિતાને ગુમાવનાર પુત્રની આપવીતી
પિતાના અંતિમ સંસ્કાર પુત્રએ આતંકી હુમલા વિશે વિગતવાર માહિતી જણાવી હતી. પુત્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલગામમાં અમે ઘોડા પર ગયા હતા. રસ્તો ખુબ જ ખરાબ હતો. અમે જેવા પહોંચ્યા ત્યાં અમને ભૂખ લાગી હતી. ત્યાં અચાનક પાછળથી ગોળીઓનો અવાજ આવવા લાગ્યો.. અમે બધા ભાગવા લાગ્યા. એટલામાં અમુક આતંકવાદીઓ અમારી સામે આવી ગયા. અને અમને કહેવા લાગ્યા કે મુસલમાન અલગ થઈ જાવ અને હિન્દુઓ અલગ થઈ જાવ. ત્યારબાદ તમામ હિન્દુ પુરુષોને ગોળી મારી દીધી. બાદમાં ત્યાંથી તેઓ ભાગી ગયા, અને અમે ભાગીને નીચે આવી ગયા. પિતાને ગુમાવનાર પુત્રએ આતંકીઓ વિશે જણાવ્યું હતું કે, એક આતંકવાદીને દાઢી લાંબી હતી. માથા પર ટોપી પહેરેલી હતી અને માથા પર કેમેરા પણ લાગેલા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું 
પતિને ગુમાવનાર શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું છે. તેમણે જણાવ્યું હતું કે પરિવાર અનેક અરમાનો સાથે ધરતી પરના સ્વર્ગમાં ફરવા ગયો હતો. શૈલેષભાઈનો જન્મદિવસ ઉજવવાનો હતો. દીકરીએ 12માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ પરિવારને હળવાશનો સમય માણવા માટે ગયો હતો પરંતુ તેમને શું ખબર હતી કે, તેમના પ્રિયજનને તેમણે ગુમાવવા પડશે. પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા હતા. તેમણે કહ્યું કે પહેલા તો આતંકીઓએ ધર્મ પુછીને લોકોને અલગ તારવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઈને તેમના પત્ની અને સંતાનોની સામે ગોળી મારવામાં આવી હતી. જ્યાં સુધી શૈલેષભાઈનો જીવ ન ગયો ત્યાં સુધી એ આતંકીઓ ત્યાં જ ઉભા હતા અને હસતા હતા. 

આતંકીઓની આ હરકતે શૈલેષભાઈના પરિવારને જીંદગીભર ન ભૂલી શકાય એવા ઘા આપ્યા છે. પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા. મૃતકની પત્નીએ વિલાપ કરતા કહ્યું કે મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા..

ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા શૈલેષભાઈ
મોટા વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં પણ આ ઘટનાને કારણે ભારે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક શૈલેષ કળથિયાનાં પિતા હાલમાં પોતાના વતનમાં જ વસવાટ કરી રહ્યા  છે. ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈનાં મોતના સમાચાર સાંભળીને બહેનોની હાલત પણ હૃદયદ્રાવક થઈ જવા પામી છે. જો કે, આતંકવાદી હુમલામાં શૈલેષ કળથિયાનાં મોતના સમાચારને પગલે સમગ્ર શહેરમાં આ ઘટનાને પગલે ઘેરા રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા મોડીરાત્રે શૈલેષ કળથિયાનાં મૃતદેહને સુરત લાવવામાં આવ્યો હતો અને સંભવતઃ શ્રીનગરથી મુંબઈ હવાઈ માર્ગે અને ત્યારબાદ ત્યાંથી ખાસ વિમાન દ્વારા રાત્રે 10 કલાક સુધીમાં સુરત ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુળ અમરેલીનાં દામનગરના ધુફણિયાના વતની અને સુરતમાં નાના વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં રહેતા શૈલેષ હિંમત કળથિયા સુરતમાં જ એસબીઆઈ બેંકમાં નોકરી કરતા હતા. જો કે, એક વર્ષ અગાઉ તેઓ મુંબઈ ખાતે શિફ્ટ થયા હતા અને ત્યાં જ એસબીઆઈમાં નોકરી કરીને પરિવારજનો સાથે રહેતા હતા. અલબત્ત, પત્ની શીતલબેન અને બે સંતાનો સાથે તેઓ પણ કાશ્મીરનાં પ્રવાસે ગયા હતા.જ્યાં આતંકવાદી હુમલામાં તેમનું કરૂણ મોત નિપજયું છે. પત્ની અને બંને સંતાનોની નજરની સામે જ શૈલેષ કળથિયાને આતંકવાદીઓ દ્વારા ઠાર મારવામાં આવતાં સમગ્ર પરિવારજનોમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. 

કાશ્મીરમાં પત્ની અને બં સંતાનો સાથે પ્રવાસે નીકળેલા શૈલેષ કળથિયાને સ્વપ્રે પણ ખ્યાલ નહીં હોય કે આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બની રહેશે. આતંકવાદીઓનાં હિચકારા હુમલામાં તેમનું મોત નિપજતાં પત્ની અને બંને સંતાનો હાલમાં પણ હતપ્રભ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોનાં મૃતદેહોને વતન મોકલવા માટે ખાસ કવાયત હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More