ગુજરાત માટે આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી. વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મુજપુરા-ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાકને ઈજા થઈ છે. અનેક લોકોનો હજુ પતો ન હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.
ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
અનેક લોકોના સપના તૂટ્યા! સવારની સફર અંતિમ સફર બની, ગંભીરા બ્રિજ તૂટ્યા બાદનું ખૌફનાક
1985માં આ બ્રિજ બન્યો હતો. 40 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હતો. સ્થાનિકોએ અને ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું. પણ તંત્ર જાણે કુંભકર્ણથી પણ ઘેરી નિંદરમાં હતું અને તેમને આ બ્રિજની સ્થિતિ દેખાઈ જ નહીં. પરિણામ શું આવ્યું? અનેક લોકો મોતને ભેટ્યા. અનેક પરિવારો વિખેરાઈ ગયા. અને તંત્રને તપાસ કરવાનું યાદ આવ્યું.
અનેક પરિવારો માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો! 40 વર્ષ જૂના બ્રિજના બે કટકા! Live
મુખ્યમંત્રીએ બ્રિજ દુર્ઘટનાની વિગતો મેળવી. મોડે તો મોડે પણ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. NDRFની ટીમ મોકલવામાં આવી. મોટી વાત એ છે કે, આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાને મંજૂરી મળી ગઈ હતી. એવું પણ સરકારે કહ્યું. પરંતુ આ બધું તો ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું છે, દુર્ઘટના તો થઈ જ ગઈ છે, લોકોના જીવ ગયા છે પણ તંત્ર...એ તો બસ વાયદાઓ કરવામાં વ્યસ્ત છે.
મોતનો મલાજો જાળવીને પ્લેન ક્રેશના 19 મૃતકોના અવશેષોની સરકારે કરી અંતિમ ક્રિયા,PHOTOs
ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી છે, જે માનવ સર્જિત દુર્ઘટના છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્યમંત્રીની રાજીનામાની માંગ કરી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારના ભ્રષ્ટાચારથી અનેક લોકોના મોત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજના બે કટકા થયા છે અને 9 લોકો મોતને ભેટ્યા છે. મૃતકો માટે ઇસુદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું.
વડોદરામાં બિહારવાળી! સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ ધારાશાયી, અનેક વાહનો
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો હતો, જેમાં 4 વાહન પડયા હતા, આ ઘટનામાં 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટ્યો છે. સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવા અને નવો બનાવવાની માગ કરી હતી છતાં તંત્રએ સાંભળ્યું નહોતું. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે