Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ કર્યો, વડોદરા મનપાના કમિશનરની થઈ બદલી

ગુજરાત સરકાર દ્વારા 16 આઈએએસ અધિકારીની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓની બદલી થઈ છે.

રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ કર્યો, વડોદરા મનપાના કમિશનરની થઈ બદલી

ગાંધીનગરઃ રાજ્યના વહીવટી વિભાગમાં મોટા ફેરફાર થયા છે. રાજ્ય સરકારે 16 આઈએએસ અધિકારીની બદલીના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારના જાહેર વહીવટ વિભાગ દ્વારા આ આદેશ કરાયો છે. રાજ્ય સરકારની અખબારી યાદી પ્રમાણે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે.

fallbacks

આ અધિકારીઓની થઈ બદલી
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાની બદલી કરવામાં આવી છે. દિલીપ કુમાર રાણાને હાયર એજ્યુકેશનના કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે.

ડો. એન.કે.મીનાની ભાવનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. 

તુષારકુમાર ભટ્ટની પાટણના જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

મનીષ કુમારની ભાવનગરના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 

અરૂણ મહેશ બાબૂની વડોદરા કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આર.આર ડામોરની ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

અરવિંદ વીની ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

નેહા કુમારીની મહીસાગરના કલેક્ટર તરીકે બદલી કરી મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનમાં નિમણૂંક કરવામાં આવી છે. 

અર્પિત સાગર, નાયબ મ્યુનિસિપલ કમિશનર વડોદરાની બદલી મહીસાગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. 

શાલિની દુહનની ડાંગ-આહવાના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ભાવ્યા વર્માની વલસાડના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

મનીષ ગુરવાનીને રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવ્યા છે.

ગૌરવ દિનેશ રમેશની સુરત મહાનગર પાલિકાના નાયબ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

સુરભી ગૌતમને વડોદરા મહાનગર પાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે.

ડો. પ્રશાંત જિલોવાની નિમણૂંક અમદાવાદ કોર્પોરેશનના રિઝનલ કમિશનર તરીકે કરવામાં આવી છે.

fallbacks

fallbacks

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More