Gondal News : સૌરાષ્ટ્રના ગોંડલમાં આજે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપાસની લડાઈ જામી છે. ગોંડલમાં અલ્પેશ કથીરિયા VS ગણેશ જાડેજા માહોલ ચાલ્યો છે. ત્યારે અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિરઝાપુર કહ્યું. તો બીજી તરફ, અલ્પેશ કથીરિયાએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળતા ગણેશ ગોંડલે ટોણો માર્યો કે, અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો છે.
ગોંડલ મિરઝાપુર છે - અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા જોરદાર બબાલ થઈ છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા છે. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથીરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. "મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ. આજે ગોંડલમાં લોકોને મળ્યા બાદ CMને પણ મળીશું.
અલ્પેથ કથીરિયાએ રુટ બદલ્યો
તો બીજી તરફ, રાજકોટ-ગોંડલ વિવાદમાં અલ્પેશ કથિરીયાએ પીછે હઠ કરી હતી. તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા. પરંતું અક્ષર મંદિરથી તેમોન રૂટ ડાયવર્ટ કર્યો હતો. તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું. મોટી સંખ્યામાં લોકોનો રોષ જોતા અલ્પેશ કથીરિયાએ ત્યાંથી નીકળવાનું ટાળ્યું હતું. ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરીયા હાય હાયના નારા લગાવ્યા હતા.
અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો -
ગણેશ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો છે. આ જનમેદની ધમકી આપી, લમણે બંદૂર રાખીને ભેગી કરવામાં આવેલી નથી. આ જનમેદની સ્વયંભુ છે. આ દ્રશ્યો જ દેખાડે છે ગોંડલમાં સામાજિક સમરસતા છે.
કથીરીયાની ગાડીના કાચ તોડાયા
અલ્પેશ કથીરિયા જ્યા જ્યાંથી પસાર થઈ રહ્યાં છે, ત્યાં ત્યાં ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અલ્પેશ કથીરિયા સમર્થકોની કારની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે. સમર્થકોએ પણ કહ્યું કે, આ ગોંડલ નથી મિરઝાપુર છે. વિરોધ વચ્ચે કથીરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલે પોતાની ટીમ સાથે સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. તો બીજી તરફ, જયરાજસિંહ જાડેજાના ઘરની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
ગણેશ ગોંડલે ફેંક્યો હતો પડકાર
થોડા સમય પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા કહ્યું, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી નથી શક્તી.”
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે