Home> India
Advertisement
Prev
Next

Mann Ki Baat: 'ન્યાય જરૂર મળશે', મન કી બાતમાં પહેલગામ હુમલાના પીડિતોને પીએમ મોદીએ આપ્યું વચન

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ આજે (27 એપ્રિલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં ફરી આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Mann Ki Baat: 'ન્યાય જરૂર મળશે', મન કી બાતમાં પહેલગામ હુમલાના પીડિતોને પીએમ મોદીએ આપ્યું વચન

નવી દિલ્હીઃ પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશના લોકોમાં જે આક્રોશ છે, તે દુનિયામાં પણ છે. આ જઘન્ય રીતે કરવામાં આવેલા હુમલાની બધાએ નિંદા કરી વિશ્વ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં 140 કરોડ ભારતીયો સાથે છે. પીએમ મોદીએ કહ્યુ કે હુમલાના પીડિતોને ન્યાય મળશે.

fallbacks

પહેલગામ હુમલાનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ, ''પહેલગામમાં આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની નિરાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી આવી રહી હતી, શાળા-કોલેજોમાં જીવંતતા હતી, બાંધકામના કામમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકશાહી વધુ મજબૂત બની રહી હતી અને પ્રવાસીઓની સંખ્યા વિક્રમી ગતિએ વધી રહી હતી. દેશના દુશ્મનો, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.'

તેમણે કહ્યું કે આતંકી અને આતંકના વડાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરી તબાહ થઈ જાય અને એટલા માટે આ મોટા ષડયંત્રને અંજામ આપ્યો. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સહયોગ, આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા, આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે.

આ પણ વાંચોઃ અમે ભૂખે મરી જઈશું', સિંધુ જળ સંધિ સમાપ્ત થવાથી રડી રહ્યું છે પાકિસ્તાન

પીડિતોને ન્યાયનું આપ્યું વચન
પીએમ મોદીએ કહ્યુ કે આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકી હુમલા બાદ દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ હુમલાના દોષિતો અને ષડયંત્ર રચનારને કઠોર જવાબ આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More