Home> Gujarat
Advertisement
Prev
Next

આજની પોઝિટિવ સ્ટોરી : 30 વીઘા જમીનમાં ગામલોકોએ બનાવ્યું જંગલ, NRI એ કરી મોટી મદદ

Jungadh News : ખાંભલાના ગ્રામજનોએ 132 વિવિધ પ્રકારના 6500 વૃક્ષો વાવ્યા... 30 વીઘા જમીનમાં ઉગેલા ગાંડા બાવળને દૂર કરીને જમીન સમતલ બનાવીને આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું

આજની પોઝિટિવ સ્ટોરી : 30 વીઘા જમીનમાં ગામલોકોએ બનાવ્યું જંગલ, NRI એ કરી મોટી મદદ

Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000 ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઊગી નીકળ્યા હતા. ત્યારે ખાંભલા ગામના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા કેન્સર સર્જન ડૉ. ભાણજીભાઈ કુંડારીયાની પ્રેરણાથી ગ્રામ લોકો દ્વારા 132 જેટલા વિવિધ પ્રકારના 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

fallbacks

ડીપ ઇરીગેશન દ્વારા પાણી આપવામાં આવે છે
વૃક્ષોનું યોગ્ય જતન થાય અને એકી સાથે આટલા વૃક્ષોમાં પણ શક્ય નથી ત્યારે આ 30 વીઘામાં ડીપ ઇરીગેશન ફીટ કરીને વૃક્ષોને એકી સાથે પાણી મળી શકે તેવું આયોજન પણ કરાયું છે.

ગામની સુવિધા :

  • 2000ની વસ્તી
  • જુનાગઢ - પોરબંદર સ્ટેટ હાઇવે પર ગામ
  • સ્માર્ટ આંગણવાડી
  • મોડેલ બસ સ્ટેશન
  • ગામ લોકોને ટોકનના દરે ફિલ્ટર શુદ્ધ પાણી

ડોક્ટર દ્વારા જેસીબી પણ દાનમાં અપાયું
30 વીઘા જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગાંડા બાવળના ઝૂડ ઊગી નીકળ્યા હતા. ત્યારે આ બાવળોને દૂર કરવા અને જમીનને સમથળ બનાવવા માટે મસ્ટરી ભાડે રાખીને કામ કરવામાં આવે તો ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે ત્યારે ડૉ. ભાણજીભાઈ કુંડારિયાએ જેસીબી ખરીદ કરીને આ સમિતિને અર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં યલો એલર્ટ, હવામાન વિભાગે આ જિલ્લાવાળાને ચેતવણી આપતા કહ્યું-12 માર્ચ સુધી સાચવીને રહેજો

ગામને મળેલા વિવિધ એવોર્ડ

  • નિર્મળ ગામ એવોર્ડ (મુખ્યમંત્રી દ્વારા સન્માન)
  • શ્રેષ્ઠ ગ્રામ પંચાયત
  • નિર્મળ ગામ પુરસ્કાર (રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પત્ર)

આ અંગે સમિતિના ગોવિંદભાઈ ડઢાણીયા એ જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ પ્લાન્ટ નું નામ મધુવન આપવામાં આવ્યું છે અને અહીં 132 વિવિધ પ્રકારના ઔષધીયગુણ, ફળ-ફૂલ સહિતના 6500 વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યારે લોકોને શુદ્ધ વાતાવરણ મળે છે. પરંતુ પશુ પંખીઓને પણ ભોજનાલયનું મોડેલ ફાર્મ તરીકે નિર્માણ કરાયું છે.

આ અંગે ગામના વતની કિરણભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેતા ડો. ભાણજીભાઈ કુંડારીયાની પ્રેરણાથી અને ગામ લોકોના સહકારથી લોકોને શુદ્ધ પ્રાણ વાયુ મળી શકે તેવા હેતુથી આ પ્લાન્ટસ્ટેશનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. ત્યારે વૃક્ષ જનન આબાદ વતનના ઉમંડા વિચારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ.

આ અંગે પ્રભુદાસ ભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આપણને શુદ્ધ ઓક્સિજન મળે અને તંદુરસ્ત વાતાવરણ રહે તેવા હેતુથી અને ગ્રામ લોકોના આખા મહેનતથી આ વૃક્ષોનું જતન થઈ રહ્યું છે. વયોવૃદ્ધ પણ નિસ્વાર્થ પણે સેવા કરી રહ્યા છે. આ કાર્ય ફક્ત વૃક્ષારોપણ કરીને સંતોષ માનવા જેવો નથી તેની માવજત કરવી પણ ખૂબ અઘરી છે, ત્યારે ગામના 62 વર્ષના પ્રભુદાસભાઈ કનેરિયા પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર 24 કલાક વૃક્ષોની માવજત કરી રહ્યા છે.

350 થી વધુ નિષ્ણાતોનો અતિ ચોંકાવનારો દાવો, 2035માં દુનિયા કેવી હશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More