Home> Gujarat
Advertisement
Prev
Next

વટપૂર્ણિમાનો દિવસ પતિ માટે બન્યો જીવનનો છેલ્લો દિવસ; અડધીરાત્રે જ પત્નીએ પોત પ્રકાશ્યું

HUSBAND MURDER: સાતો જન્મી એ જ પતિ મળે એવી પ્રાર્થના વટપૂર્ણિમાના દિવસે દરેક પત્ની પોતાના પતિ માટે ભગવાનને કરે છે. પરંતુ આ જ વટપૂર્ણિમાનો દિવસ એક પતિ માટે જીવનનો છેલ્લો દિવસ બની ગયો. એક પત્નીએ પોતાના પતિને વટપૂર્ણિમાની રાત્રે જ યમલોકમાં મોકલી દીધો. સાંગલીના કુપવાડમાં આ ચોંકાવનારો બનાવ બન્યો છે.

વટપૂર્ણિમાનો દિવસ પતિ માટે બન્યો જીવનનો છેલ્લો દિવસ; અડધીરાત્રે જ પત્નીએ પોત પ્રકાશ્યું

સાતો જન્મે એ જ પતિ મળે, એ માટે દરેક સ્ત્રી વટપૂર્ણિમાના દિવસે વડના ઝાડની પરિક્રમા કરી ભગવાનને પ્રાર્થના કરે છે. પરંતુ એક પત્નીએ વટપૂર્ણિમાના દિવસે જ પહેલા જન્મમાં પતિ નથી જોઈતો એવું નક્કી કરી તેનો જીવ લઈ લીધો. સાંગલીના કુપવાડમાં એકતા કોલોનીમાં રહેતા 50 વર્ષના અનિલ લોખંડેને તેની 28 વર્ષની પત્ની રાધિકાએ માથામાં કુહાડીનો ઘા મારી હત્યા કરી. અનિલ લોખંડેનું રાધિકા સાથે આ બીજું લગ્ન હતું. તેમની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. અનિલને પહેલી પત્નીથી બે દીકરીઓ હતી, જેમના લગ્ન પણ થઈ ગયા હતા. 

fallbacks

આ 'દાદા'ને કેરીનો સ્વાદ ભારે પડ્યો! કેરીનો ગોટલો ગળી ગયા અને પછી થઈ જોવા જેવી...

એટલે એકલા જીવન જીવતા અનિલે આગળના જીવન માટે લગ્ન કરવાનો નિર્ણય લીધો. 17 મે 2025ના રોજ સાતારા જિલ્લાના ખટાવની 28 વર્ષની રાધિકા ઇંગળે સાથે તેમણે લગ્નની ગાંઠ બાંધી. લગ્નના તમામ વિધિ પરંપરાગત રીતે પૂર્ણ થયા. લગ્નને 17 દિવસ થયા હતા. 10 જૂનના રોજ વટપૂર્ણિમા હોવાથી અનિલે પત્ની રાધિકાને તેની માસીના ઘરે મૂકી. વટપૂર્ણિમાનો તહેવાર ઉજવાયા બાદ અનિલે રાત્રે પત્નીને ઘરે પાછી લાવી. 

કાચા મકાનના છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે! રવિવારથી આગામી 3 દિવસ આ વિસ્તારોમા પડશે મેઘો

રાત્રે ઘરે આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ અનિલ ઊંઘી ગયો. પરંતુ પતિ પ્રત્યે રાધિકાના મનમાં ગુસ્સો હતો. તેણે અનિલને કાયમ માટે ખતમ કરવાનો નિર્ણય લીધો. ઊંઘેલી સ્થિતિમાં અનિલના માથામાં કુહાડીનો ઘાતક ઘા માર્યો, જેનાથી અનિલ લોખંડેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 

પુત્રના પ્રેમની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી ગુપ્તાંગમાં ચીમટા ભર્યા..

પતિની હત્યાના કેસમાં પત્ની રાધિકા વિરુદ્ધ કુપવાડ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને રાધિકાની ધરપકડ પણ કરવામાં આવી છે. જે પતિ માટે સાતો જન્મના સંસારની પ્રાર્થના કરવામાં આવે છે, તે જ વટપૂર્ણિમાનો દિવસ અનિલ લોખંડેના જીવનનો છેલ્લો દિવસ બની ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More