Home> Gujarat
Advertisement
Prev
Next

હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થયા નથી, દીકરો અમેરિકાથી આવી પહોંચ્યો

Vijay Rupani Death : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,,, રાજકોટમાં થશે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર,,, રાજકોટમાં શાળાઓ અને બજાર બંધ રાખીને રૂપાણીને અપાઈ શ્રદ્ધાંજલિ...
 

હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થયા નથી, દીકરો અમેરિકાથી આવી પહોંચ્યો

Ahmedabad Plane Crash : દિવંગત વિજય રૂપાણીના પુત્ર વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર આવી પહોંચ્યા છે. DNA મેચ થયા બાદ રાજકોટમાં અંતિમવિધિ કરાશે. જોકે, હજી સુધી હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ નથી થયા. 
 
DNA મેચ થયા બાદ મૃતદેહ સોંપાશે  
હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થયા નથી. વિજય રૂપાણીના ડેડબોડના DNA મેચ કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. રૂપાણીના બહેનના DNA સેમ્પલ બે દિવસ પહેલા લેવાયા હતા. જરૂર જણાશે તો પુત્ર ઋષભ રૂપાણીનું DNA સેમ્પલ લેવાશે. DNA મેચ થયા બાદ પરિવારને વિજય રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે. 

fallbacks

રાજકોટમાં કરાશે અંતિમ વિધિ
વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી પરત ફર્યા છે. વહેલી સવારે ચાર વાગે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આવી પહોંચ્યા છે. ડેડબોડી આઇડેન્ટિફાય થયા બાદ અંતિમ વિધિ રાજકોટ કરાશે. રૂપાણીના પરિવારજનો ગાંધીનગરથી રાજકોટ જશે. તમામ અંતિમ ક્રિયા અને વિધિ રાજકોટ થશે. હાલ પરિવાર DNA મેચ થવાની અને ડેડબોડી મળવાની રાહ જોઈ રહ્યો છે. 

પ્લેન ક્રેશના કાટમાળમાં મળેલા 19 મૃતદેહો કોના? અન્ય શહેરોમાંથી બોડી સ્ટોરેજ મંગાવાયા

 

અમે અમારા આગેવાન ગુમાવ્યા - ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અમારા માટે ભાજપ અને ગુજરાત માટે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ સંઘર્ષ કરતા રહ્યાં છે. કાયમ એમનો સધિયારો મળતો રહ્યો છે. દૂખદ પળની અંદર સૌને શક્તિ આપે. 

રાજકોટની શાળાઓએ બંધ પાળ્યો 
રાજકોટની 600 કરતાં વધારે ખાનગી શાળાઓ આજે બંધ પાળ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છએ. વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ છે. પૂર્વ મુખ્યમંત્રીનું ઋણ ચૂકવવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે નિર્ણય કર્યો હતો.

આજે અડધુ રાજકોટ બંધ 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે અડધો દિવસ રાજકોટ બંધ રહેશે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. વિજય રૂપાણી પણ પોતે વ્યવસાયે વેપારી હતા. તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રહેશે. રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રખાશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ગઈકાલે જાહેરાત કરવામાં આવતા 108 સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે. એન્જિનિયરિંગ એસોસિએશન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતના ઉદ્યોગ બંધ રહેશે તેવો વેપાર ઉદ્યોગકારોનો નિર્ણય કર્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું તે, બંધ પાળીને શહેરીજનો વિજય રૂપાણીનું ઋણ ચૂકવે.

અમદાવાદ પ્લેન ક્રેશ વચ્ચે બનેલી આ 4 ઘટના ચમત્કારથી ઓછી નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More