Sardar Krushi Nagar Agricultural University/ સંજય પંડ્યા: ગુજરાત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઑ દ્વારા ધોરણ 12 પછીના વિવિધ કૃષિ સંલગ્ન ડિપ્લોમા (પોલિટેકનિક) અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં જોડાઈ ખેડૂતપુત્ર તજજ્ઞ બની તેની ખેતીમાં આમૂલ પરીવર્તન લાવી શકશે અને રોજગારી પણ મેળવશે. જેથી રોજગારીના અભાવે ગામડાથી શહેરો તરફની આંધળી દોડ પણ અટકશે અને ગામડાઓનો વિકાસ થશે અને ભાંગતા પણ બચશે. આ અભ્યાસક્રમોમાં મુખ્યત્વે કૃષિ, પશુપાલન, બાગાયત, ફોરેસ્ટ્રી, મત્સસ્યવિજ્ઞાન, ડેરી સાયન્સ, એગ્રી એન્જીન્યરીંગ, ફુડ ટેકનોલોજી, રીન્યુએબલ એનર્જી, હોમસાયન્સ અથવા કોમ્યુનિટી સાયન્સ, બાયો ટેકનોલોજી, એગ્રી ઈન્ફોરમેશન ટેકનોલોજી વગેરે મુખ્ય છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજિનો ઉપયોગ સીંચાઈના વધતાં વિકલ્પ તથા પશુપાલન ક્ષેત્રે સહકારી માળખાના વિકાસના કારણે ખેતી-પશુપાલન ફક્ત જીવનનિર્વાહનું સાધન ન બનતા તેણે વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે ખેડૂત અથવા તો પશુપાલકનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. કૃષિ અને પશુપાલનને આધુનિક બનાવવા યુવાનો અને ખાસ કરીને ગ્રામ્ય યુવાનો ને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જોડવા પડશે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેના સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો:
(A) બી ગ્રુપ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટેના સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો:
(૧) કૃષિ સ્નાતકનો B.Sc. (Agri):
કૃષિ સ્નાતકનો ચાર વર્ષનો અભ્યાસક્રમ છે, ગુજરાત રાજયમાં કુલ ૧૧ જગ્યાએ કૃષિ મહાવિદ્યાલય આવેલ છે, જે પૈકી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કુલ ત્રણ જગ્યા સરદારકૃષિનગર, થરાદ અને ભચાઉ ખાતે આ અભ્યાસક્રમ ચાલે છે. જયા કૃષિની સ્નાતક/અનુસ્નાતક કક્ષાની પદવી મળે છે. ખેતીવાડી ખાતુ, કૃષિ યુનિવર્સિટીઓ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એગ્રી ઈન્સ્યોરન્સ એન.જી.ઓ., બેંક, કૉ-ઓપરેટીવ, જંતુનાશક દવા, બિયારણ તથા ખાતરની કંપનીઓ, આત્મા વગેરે અનેક જગ્યાએ આ અભ્યાસક્રમ કરેલ વિધાર્થીઓની વિપુલ માંગ છે. આ ઉપરાંત કૃષિ ઉધોગ સાહસિક (એગ્રી એન્ટરપ્રીનિયોર) તરીકે કામ કરી બીજ ઉત્પાદન, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ગ્રીન હાઉસમાં ખેતી, મધમાખીપાલન, મશરૂમ ઉત્પાદક, વર્મીકમ્પોસ્ટ યુનિટ વગેરે ક્ષેત્રે તજજ્ઞ તરીકે કામ કરી ગ્રામોધ્ધાર અને ગ્રામ વિકાસનું ઉપયોગી કામ કરી સારી એવી આવક મેળવી શકાય છે.
(૨) બાગાયત સ્નાતક B. Sc. (Hort):
ગુજરાત રાજયમાં કુલ ચાર જગ્યાએ આ અભ્યાસક્રમ ચાલે છે, જે પૈકી અત્રેની યુનિવેર્સિટી હસ્તક જગૂદણ ખાતે આ અભ્યાસક્રમ ચાલે છે આ અભ્યાસક્રમ ચાર વર્ષ (આઠ સેમેસ્ટર)નો છે. ગુજરાત રાજયમાં બાગાયતી પાકો (શાકભાજી અને ફળફુલ) હેઠળનો વિસ્તાર દર વરસે સતત વધતો જાય છે તથા શહેરી વિસ્તારમાં લોકોની પર્યાવરણ જાળવણી અંગેની જાગૃતિ, તંદુરસ્તી અંગેની સભાનતા તથા બાગ-બગીચાનું મહત્વ સમજતા થતા બાગાયત સ્નાતક થયેલા વિધાર્થીઓને લેન્ડ સ્કેપીંગ, ટાઉન પ્લાનીંગ, નર્સરી ડેવલોપમેન્ટ, ગ્રીન હાઉસ વગેરે નવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉભી થઈ છે. આ ઉપરાંત જીરૂ, વરીયાળી, અજમો જેવા મસાલા પાકોની વિદેશમાં માંગ વધારે હોવાથી બાગાયત સ્નાતક/અનુસ્નાતક થયેલા વિધાર્થીઓ કોન્ટ્રાકટ ફાર્મીંગ દ્વારા આ પ્રકારના મસાલા પાકોનું ખેડૂતો પાસે વાવેતર કરાવી તેની વિદેશમાં નિકાસ કરી ખેડૂતને સારી આવક મેળવી આપી પોતે પણ સારૂં એવું વળતર મેળવી શકે છે. આ ઉપરાંત દેશને ઉપયોગી એવુ વિદેશી હુંડીયામણ પણ કમાઈ આપે છે. આ ઉપરાંત બાગાયત સ્નાતક/અનુસ્નાતક વિધાર્થી વિવિધ કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતુ, નેશનલ હોટ્રીકલ્ચર મીશન, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભારતીય કૃષિ અનુસંધાન પરિસદ, એન.જી.ઓ વગેરેમાં પણ સારી રોજગારી મેળવી શકે છે.
(3) B.Tech (Bio Technology):
સરદારકૃષિનગર ખાતે બી.ટેક. બાયોટેકનોલોજી નો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવેલ છે. ઉપરોકત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ચાર વર્ષ એટલે કે આઠ સેમેસ્ટરનો છે. બાયોટેકનોલોજી અને ટીસ્યુકલ્ચરના ઉપયોગથી વધારે ઉત્પાદન આપતી અને જરૂરી ગુણવતા ધરાવતી જુદા-જુદા પાકોની નવીન જાતોની જરૂરીયાતને ધ્યાનમાં લઈએ તો આ પ્રકારના અભ્યાસક્રમનું મહત્વ બહુજ છે.
(B) વિજ્ઞાન પ્રવાહના A અને/અથવા B ગ્રુપનો વિષયો સાથે પાસ થયેલ વિધાર્થીઓ માટેના સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો....
(1) બી ટેક એગ્રી એન્જીન્યરીંગ B.Tech (Agri )Engg અને B.Tech (REEE)
ઉપરોકત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાર વર્ષ (આઠ સેમેસ્ટર) ની અવધિના છે. અત્રેની યુનિવર્સિટી અંતર્ગત એગ્રી. એન્જીન્યરીંગ (કૃષિ ઈજનેરી) અને રીનયુએબલ એનજી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીન્યરીંગ (REEE)ના અભ્યાસક્રમ ગુજરાતમાં જુનાગઢ, ગોધરા અને ડેડીયાપાડા ખાતે છે, જયારે રીન્યુએબલ એન્જીનિયરીંગની એક કોલેજ અનુક્રમે સરદારકૃષિનગર મુકામે આવેલ છે. કૃષિમાં મજુરોની અછત, ખેડૂતોનો ડ્રીપ/સ્પીન્કલર સિંચાઈ પધ્ધતિનો વ્યાપક અપનાવવું ઉપરાંત ખેતીમાં વ્યાપક પ્રમાણમાં યાંત્રિકરણને લીધે કૃષિમાં ઈજનેરી સંલગ્ન અભ્યાસક્રમનું મહત્વ વધ્યું છે. સમગ્ર દેશ અને રાજય જયારે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા જેવા નવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે અને જયારે મોટી મોટી નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ક્ષેત્રે પદાપર્ણ કરી રહી છે ત્યારે રીન્યુએબલ એનર્જી અને એન્વારમેન્ટલ એન્જીનિયરીંગના સ્નાતક વિધાથીઓ નવીનતમ ક્ષેત્રે સારૂ એવું કામ કરી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પણ આ કોલેજના સ્નાતકોને રોજગારી મળે છે.
(2) બી ટેક ફૂડ ટેક્નોલોજી B. Tech. Food Technology:
ફુડ ટેકનોલોજી મહાવિધાલય સરદારકૃષિનગર ખાતે આવેલ છે. આ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાર વર્ષની અવધિના છે. લોકો ખોરાકની ગુણવતા તથા તેમાં રહેલ જુદા-જુદા ધટકો અને તેની ઉપયોગીતા અંગે જાગૃત થતા આ બન્ને “ફુડ” અંગેના અભ્યાસક્રમનું મહત્વ અનેરૂ છે. આ ઉપરાંત ફળ/ શાકભાજીના પ્રોસેસીંગ અને વેલ્યુ એડીસન (મુલ્યવર્ધન) ને કારણે આ પ્રકારના સ્નાતકોની માંગ વિશેષ રહે છે અને વિવિધ પ્રોસેસીંગ કંપનીઓમાં સારી રોજગારી મળી રહે છે.
(3) B.Sc (Hons) Food nutrition's and dietician & B.Sc. (Hons) Community science (બીએસસી ઓનર્સ ફૂડ ન્યૂટ્રીશન એન્ડ ડાયટેશન તથા બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ): સરદારકૃષિનગર ખાતે બી.એસ.સી. (ઓનર્સ) કોમ્યુનીટી સાયન્સ તથા બી.એસસી. (ઓનર્સ) ફુડ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીકસનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. જુદી જુદી હોસ્પીટલમાં ડાયેટીશીયન તરીકે તથા વિવિધ એન.જી.ઓમાં અભ્યાસક્રમ કરેલ સ્નાતકની રોજગારીની વિપુલ તક છે.
ઉપરોકત બધા અભ્યાસક્રમો સ્નાતક કક્ષાના છે. સ્નાતક કક્ષા બાદ અનુસ્નાતક કક્ષામાં પણ પ્રવેશ મેળવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી જુદી - જુદી વિદ્યાશાખામાં અધ્યાપક તરીકેની અથવા તો વૈજ્ઞાનિક તરીકેની કારકીર્દી પણ બનાવી શકાય છે. આ રીતે કૃષિ અને સંલગ્ન વિવિધ અભ્યાસક્રમોનું મહત્વ અનેરૂ છે. જેમાં સ્નાતક/ અનુસ્નાતક થયા બાદ તેને સંલગ્ન સરકારી / અર્ધસરકારી /ખાનગી ક્ષોત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારશ્રી દ્વારા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને પ્રોફેસનલ કોર્ષનો દરજજો આપવામાં આવેલ છે. આ ઉપરાંત એગ્રી સેન્ટર એનટરપ્રીનીયાર (કૃષિ ઉધોગ સાહસિક) તરીકે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેંકો અને ગ્રામિણ બેંકો પણ આ સ્નાતકોને વિવિધ વ્યવસાય માટે ઓછા વ્યાજે લોન આપે છે. આ ઉપરાંત ભારત સરકારે એક નોટીફિકેશન બહાર પાડેલ છે. જેમાં જંતુનાશક દવા, બિયારણ અને રાસાયણીક ખાતરના વિક્રેતા અથવા તો વ્યવસાય માટે કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમહશે, તેને જ તે વેચાણ અંગેનું લાયસન્સ મળશે તેવું નકકી કરેલ છે.
વિધાર્થીઓની ભણવા સિવાય સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી કક્ષાએ અધ્યતન ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિમ્નેશિયમ તથા સ્વિમિંગપુલ જેવી સગવડો થકી રમત ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, NSSમાં, NCCમાં વિદ્યાર્થીની પ્રતિભા ઉજાગર કરી વિધાથી રાજય/ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ નામરોશન કરી શકે છે. આ પ્રકારે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ કર્યા બાદ સ્નાતક ગામડામાં રહી ગ્રામ્ય સંસ્કૃતિનું જતન કરશે અને ગામડાને ભાંગતા અટકાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે