અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ચોમાસું આવવાની તૈયારીમાં છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં ગમે ત્યારે મેઘરાજાની પધરામણી થાય તેવી તૈયારીઓ છે. જો કે ચોમાસા પહેલાનો વરસાદ ગુજરાતમાં અનેક જગ્યાએ આવી પણ ગયો છે. ત્યારે સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કરાયો છે. ક્યાંય પાણી નહીં ભરાય અને જો ભરાશે તો એક કલાકમાં નિકાલ થઈ જશે સહિત શહેરીજનોને કોઈ તકલીફ ન પડે તેવા દાવા કરવામાં આવ્યા છે. જેની સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે કેવો છે AMCનો પ્રિ-મોન્સુન પ્લાન?, કેમ વિપક્ષે ઉઠાવ્યા સવાલ?...જુઓ આ અહેવાલમાં....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન પ્લાનની સમીક્ષા બેઠકમાં મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં 80 સ્લાઇડનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું. બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા, પરંતુ કમિશનરની ગેરહાજરીએ સવાલો ઉભા કર્યા. AMCનો દાવો છે કે 68,443 કેચપીટની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે, 9,500 વૃક્ષોનું ટ્રિમિંગ થયું, અને 22 અંડરપાસમાં હેવી ડિવોટરિંગ પંપ તૈયાર છે.
શું છે AMCનો દાવો?
68,443 કેચપીટની સફાઈ પૂર્ણ
9,500 વૃક્ષોનું ટ્રિમિંગ થયું
22 અંડરપાસમાં હેવી ડિવોટરિંગ પંપ તૈયાર
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન 27 રેઇનગેજ મશીન અને 45 CCTVથી દેખરેખ રાખવામાં આવશે, જ્યારે ઓટોમેટિક બેરિયર ગેટ અંડરપાસમાં પાણી ભરાતા બંધ થશે.
પરંતુ શું આ દાવાઓ ખરેખર શહેરીજનોને રાહત આપશે?... ગત વર્ષે 147 સ્થળોએ વોટરલોગિંગની ફરિયાદો હતી, જે 2023માં 127 હતી, અને આ વર્ષે કમોસમી વરસાદમાં 116 સ્થળોએ પાણી ભરાયું. એક ઇંચ વરસાદમાં જ શહેરની શેરીઓ સ્વિમિંગ પૂલ બની જાય છે. વિપક્ષી નેતા શહેઝાદ પઠાણનો આરોપ છે કે AMCનું તંત્ર દર વર્ષે નિષ્ફળ જાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી, 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
પરંતુ શું AMC દાવાઓ ખરેખર શહેરીજનોને રાહત આપશે?
AMCનો દાવો છે કે ખારીકટ કેનાલના ઇનલેટ ખોલીને ભારે વરસાદમાં પાણી નિકાલ કરાશે. 65,000 રનિંગ મીટર ડ્રેનેજ લાઇનનું ડિશિલ્ટીંગ થયું છે, અને ફાયર બ્રિગેડ તેમજ ગાર્ડન વિભાગ ઝાડ પડવાની ઘટનાઓ માટે સજ્જ છે. સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદોનું નિરાકરણ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. પરંતુ વિપક્ષનો આરોપ છે કે આ તૈયારીઓ માત્ર કાગળ પર જ છે...
શું છે AMCનો દાવો?
ખારીકટ કેનાલના ઇનલેટ ખોલીને પાણી નિકાલ કરાશે
65 હજાર રનિંગ મીટર ડ્રેનેજ લાઇનનું ડિશિલ્ટીંગ થયું છે
શહેરના અંડરપાસમાં પાણી ભરાવું, રસ્તાઓ ધોવાઈ જવા, અને ટ્રાફિક જામ એ અમદાવાદની ચોમાસાની સ્થિતિ દર વર્ષે બની રહે છે. 2022માં શહેરના 55 ટકા વિસ્તારોમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ હોવા છતાં વોટરલોગિંગની સમસ્યા યથાવત રહી. શું આ વર્ષે AMCનો પ્લાન ખરેખર અસરકારક રહેશે, કે ફરી એકવાર શહેરીજનો ચોમાસાની મુશ્કેલીઓનો સામનો કરશે?.
AMCના પ્રિ-મોન્સૂન પ્લાનની ભવ્ય તૈયારીઓ સામે વિપક્ષ અને શહેરીજનોની નારાજગી સ્પષ્ટ છે. શું આ વર્ષે અમદાવાદ ખરેખર વોટરલોગિંગથી મુક્ત રહેશે?..આ સવાલનો જવાબ ચોમાસાની પહેલી વર્ષા જ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે