Home> Gujarat
Advertisement
Prev
Next

ખુદ સાંસદે જ લાંચિયા અધિકારીનો કર્યો પર્દાફાશ, ક્લાસ-2 કક્ષાના અધિકારીએ માગી લાંચ

રાજ્યમાં લાંચ લેવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના ભલે દાવા કરવામાં આવતા હોય પરંતુ પરિસ્થિતિ અલગ જોવા મળે છે. હવે ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચિયા અધિકારીનો પર્દાફાશ કર્યો છે.
 

 ખુદ સાંસદે જ લાંચિયા અધિકારીનો કર્યો પર્દાફાશ, ક્લાસ-2 કક્ષાના અધિકારીએ માગી લાંચ

રાજકોટઃ ગુજરાતમાં લાંચિયા બાબુઓ ટેબલ નીચેના વ્યવહાર વગર કોઈ કામ કરતાં નથી, લાંચ લેવામાં અધિકારીઓએ તો હવે સીમાડા વટાવી દીધા છે...ખુદ સાંસદે જ એક લાંચિયા અધિકારીનો પર્દાફાશ કર્યો. કોણ છે આ લાંચિયા બાબુ?, કેવી રીતે માગી હતી લાંચ?...શું છે લાંચની આ સમગ્ર ઘટના?...જુઓ આ અહેવાલમાં....

fallbacks

ગુજરાતમાં લાંચિયા બાબુઓ બેફામ બન્યા છે... રોજબરોજ લાંચની ફરિયાદો અને અધિકારીઓની ધરપકડના સમાચાર સામે આવે છે, પરંતુ ભ્રષ્ટાચારનો આ રાક્ષસ સુધરવાનું નામ લેતો નથી. આ વખતે રાજકોટના તોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે, અને આ ખુલાસો કર્યો છે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ...

આટલું જ નહીં, બંસીલાલ ચૌહાણે ખુદ સાંસદ રામ મોકરિયાને મળવા જઈ માફી માગી, પરંતુ મીડિયાના કેમેરા જોઈને તેઓ ત્વરિત ભાગી ગયા. ઝી 24 કલાકની ટીમ જ્યારે રાજકોટની તોલમાપ ઓફિસ પહોંચી, ત્યાં માત્ર ક્લાર્ક અમિત સંઘાણી જોવા મળ્યા. તેમણે દાવો કર્યો કે સાહેબ ફિલ્ડમાં છે.  ઓફિસ ખાલી જોવા મળી અને બંસીલાલ ચૌહાણ ગાયબ જોવા મળ્યા...

આશ્ચર્યની વાત એ છે કે, જે ઓફિસમાં લાંચ ન લેવી, ન આપવીના બોર્ડ લાગેલા છે, ત્યાં જ આ ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે. બંસીલાલ ચૌહાણ, જે ક્લાસ-2 અધિકારી છે, છેલ્લા એક વર્ષથી આખા રાજકોટ જિલ્લાનો હવાલો સંભાળે છે. સવાલ એ છે કે, આ એક વર્ષમાં આવા કેટલા તોડ કરવામાં આવ્યા હશે?..

આ પણ વાંચોઃ ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી, 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

એક વર્ષમાં આવા કેટલા તોડ કરવામાં આવ્યા હશે?
આ ઘટના માત્ર એક ઉદાહરણ છે. રાજકોટના વેપારીઓ અને સામાન્ય નાગરિકો લાંચના કારણે પરેશાન છે. લાંચ લીધા વગર કોઈ કામ થતું નથી, એવી ફરિયાદો સતત ઉઠી રહી છે. એન્ટી-કરપ્શન બ્યુરો રોજ લાંચિયા અધિકારીઓને પકડે છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું દૂષણ ખતમ થવાનું નામ લેતું નથી....

ગુજરાતમાં ભ્રષ્ટાચારનો આ આલમ છે કે, ACBના હાથે રોજ અલગ-અલગ વિભાગોના અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. છતાં, આ લાંચિયા બાબુઓ સુધરવાનું નામ લેતા નથી. સવાલ એ છે કે, આવા કેટલા બંસીલાલ ચૌહાણ હજુ પણ સરકારી ઓફિસોમાં લાંચનો ખેલ રમી રહ્યા છે?...

કેટલા બંસીલાલ હજુ સરકારમાં લાંચનો ખેલ રમી રહ્યા છે?
જ્યાં સુધી સરકારી તંત્ર અને નાગરિકો આવા ભ્રષ્ટાચાર સામે એકજૂટ થઈને લડશે નહીં, ત્યાં સુધી આ લાંચનો ખેલ ચાલુ જ રહેશે. શું આ ઘટના બાદ તોલમાપ વિભાગમાં સુધારો આવશે?...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More