Home> Gujarat
Advertisement
Prev
Next

પત્રકારત્વમાં અભિનવ પ્રદાન : Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી સન્માનિત

Devrishi Narad Patrkar Samman : પત્રકારત્વમાં અનેક પડકારો પાર પાડીને ગુજરાતી મીડિયા જગતમાં વિશેષ ઓળખ ઉભી કરનાર Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી સન્માનિત
 

પત્રકારત્વમાં અભિનવ પ્રદાન : Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી સન્માનિત

Ahmedabad News : પત્રકારત્વમાં અભિનવ પ્રદાન માટે Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની વધુ એક વાર સન્માનિત થયા છે. પત્રકારત્વમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોનીને 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી સન્માનિત કરાયા છે. 

fallbacks

પત્રકારત્વ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ કામગીરી માટે પત્રકારોનું 'દેવર્ષિ નારદ પત્રકાર' સન્માનથી પુરસ્કૃત કરવામાં આવતા હોય છે. આ વર્ષે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનું સન્માન કાયું છે. પત્રકારત્વમાં અનેક પડકારો પાર પાડીને પોતાની આગવી ઓળખ બનાવનાર દીક્ષિત સોનીને આ મહાસન્માન મળ્યું છે. 

 

 

ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રદીપજી જોશી ઉપસ્થિત રહ્યા હતા. 

દેવર્ષ નારદ સન્માન વિશે...
અમદાવાદના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે ગુજરાતના મીડિયા કર્મીઓને નારદ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દેવર્ષિ નારદને પણ પત્રકારની ઉપમા મળી હતી, તેથી તેમના નામે આ એવોર્ડ અપાય છે. લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા અને વિશેષ યોગદાન આપતા ગુજરાતના વર્તમાનપત્રોના તંત્રી, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધિઓને ‘નારદ સન્માન’ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવતા હોય છે.

fallbacks

આ એવોર્ડથી પણ થયું છે સન્માન
આ અગાઉ પણ દીક્ષિત સોની વર્ષ 2023માં પ્રતિષ્ઠિત આચાર્ય તુલસી એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તો વર્ષ 2021 અને 2022 એમ સળંગ બે વર્ષ માટે એમને ENBA દ્વારા વેસ્ટર્ન રિજન માટે એવોર્ડ મળી ચૂક્યો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પણ દિક્ષિત સોનીનું સન્માન થયું છે. દીક્ષિત સોની ગુજરાત મીડિયા ક્લબના વાઈસ ચેરમેન પણ છે. 

કોને કોને મળ્યું સન્માન
ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટિયમ ખાતે યોજાઈ રહેલાં કાર્યક્રમમાં દીક્ષિત સોની ઉપરાંત વરિષ્ઠ પત્રકારો કૃષ્ણકાન્ત ઉનડકટ, મનોજ કારિયા, પરાગ દવે અને Rj પૂજા પણ " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન"થી સન્માનિત કરાયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More