Ration Card e-KYC: અનાજના જથ્થાના ઉપાડ, વળતર અને e-KYC મુદ્દે સર્જાયેલી મડાગાંઠને પગલે ગુજરાતના સસ્તા અનાજના દૂકાનદારો- સંચાલકોએ રવિવારથી શટડાઉન કરીને હડતાલ પર ઉતરવાનુ જાહેર કર્યુ છે.
1 જુને ખુશખબરીના સમાચાર : ઘટી જશે ખાદ્યતેલના ભાવ, સરકારે ભર્યું મોટું પગલું
ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની આજે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જુનથી રાશન દુકાોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ રેશનિંગની દૂકાનો બંધ ન રહે તેના માટે રાજ્યના અન્ન- નાગરીક પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 85 ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યું હોવાના દાવા સાથે બાકી રહેલા રેશનકાર્ડ હોલ્ડરોને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારનો વિભાગ ફકત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય કહેવાય. દુકાનદારોને દબાણ કરવાથી EKYC પૂર્ણ નહીં થાય. અમે આ સામે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છીએ. રાજ્ય સરકાર EKYC પ્રક્રિયા 100% પૂર્ણ નહીં કરે તો 1 જૂનથી વિતરણ વ્યવસ્થા બંધ કરીશું. દુકાનદારોને મળતા 20 હજાર કમિશન અંગે પણ પદ્ધતિ સરકાર બદલે.
સૌથી મોટા ખુશખબર! ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, આજથી નવો ભાવ વધારો અમલી!
સરકારનો દાવો છે કે, જરૂરીયાતમંદ નાગરિકોને અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે KYC અનિવાર્ય છે. જેનાથી સાચા શકે. આ દિશામાં જ ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ- NFSA હેઠળ e-KYC કરવા રાજ્યોને સુચના આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ છે.
બાકી રહેતા નાગરિકો હવે ઘરે બેઠા My ration app- માય રેશન એપ ઉપરાંત નજીક આવેલી મામલતદાર કચેરી કે ઝોનલ કચેરી કે પછી ગ્રામ પંચાયતમાં જઈને સત્વરે e-KYC કરાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, સરકારના દાવા વચ્ચે પણ રેશનિંગની દૂકાનોના સંચાલકોએ રવિવારથી હડતાલ યથાવત રાખી છે અને આ લડતને આગળ વધારવા રવિવારે અમદાવાદમાં બેઠક પણ બોલાવી છે.
IPL ઇતિહાસના એ 5 મહારેકોર્ડ, જેને તોડવા લગભગ છે અશક્ય, એક ખેલાડીના નામે છે 2 રેકોર્ડ
થોડા દિવસ પહેલા રેશનકાર્ડ દુકાનદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં 1 જુનથી રાશન દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દુકાનદારોને પડતી વિવિધ મુદાઓને લઈને ચર્ચા થઈ હતી.
રિક્ષાચાલકને ચંપલથી ધોઈ નાંખ્યો, પછી કહ્યું- જે કરવું હોય તે કરી લો! યુવતીનો VIDEO
બેઠક અંગે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, EKYC ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મતગણતરી પ્રક્રિયા સરકાર જે રીતે કરે એ પ્રમાણે EKYC પણ કરવું જોઈતું હતું. ઘરે ઘરે જઈને રેશન કાર્ડની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, જો તમે સરકારી રાશન કે કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો 30 જૂન સુધીમાં આ કામ જરૂર કરી લેજો. સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC એટલે કે e-Know Your Customer કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેની છેલ્લી તારીખ હવે 30 જૂન 2025 છે. એટલે કે, હવે ફક્ત ચાર દિવસ બાકી છે. જો તમે આ તારીખ સુધીમાં e-KYC નહીં કરાવો, તો તમારું રાશનકાર્ડ રદ થઈ શકે છે. ઉપરાંત, સસ્તું કે મફત રાશન મળવાનું બંધ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે