Home> Health
Advertisement
Prev
Next

મધમાખીનો ડંખ માણસને મોતના મોંમાં ધકેલી શકે છે; જાણો આવી પરિસ્થિતિમાં બચવા શું કરવું...

મધમાખી જેવા ઝેરી કીડા શરીરમાં પ્રવેશે અને કરડે કે ડંખ મારે તો મૃત્યુનું જોખમ ખૂબ જ વધારે રહે છે. જો આ ઘટનાનો સામનો કરવો પડે તો તેના લક્ષણો શું રહે છે અને કંઈ રીતે તેની સારવાર કરી શકાય તે જાણીએ.

મધમાખીનો ડંખ માણસને મોતના મોંમાં ધકેલી શકે છે; જાણો આવી પરિસ્થિતિમાં બચવા શું કરવું...

Sanjay Kapoor Death Reason: અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું ગુરુવારના રોજ ઈંગ્લેન્ડમાં નિધન થયું. 53 વર્ષના સંજય કુમારનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. સૂત્રો અનુસાર, જ્યારે તેઓ પોલો મેચ રમી રહ્યા હતા ત્યારે જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેમણે મેચને તરત જ રોકીને મેદાન છોડ્યું પણ તેની થોડી જ વારમાં હાર્ટ એટેક આવ્યો અને બચી ન શક્યાં. અમુક સૂત્રોનો દાવો છે કે મેચ દરમિયાન સંજય કપૂરના મોંમા એક મધમાખી જતી રહી અને ગળામાં ડંખ માર્યો. તે બાદ તેમની તબિયત લથડી પડી અને કાર્ડિયક અરેસ્ટ આવ્યો.

fallbacks

આ કોઈ પહેલો કિસ્સો નથી કે જેમાં એક કીડા કે જંતુને કારણે માણસનું મોત થયું હોય. શરીરમાં મધમાખી કે મચ્છર જેવા જીવજંતુ જવા ખૂબ જ ગંભીર બાબત છે. સંજય કપૂરના કિસ્સામાં જો ખરેખર તેના શરીરમાં મધમાખી ગઈ હોય અને તેના કારણે કાર્ડિયક એરેસ્ટ આવ્યો હોય તો એનાફાઈલેક્સિસ (Anaphylaxis)નું કારણ હોય શકે છે. જેને મેડિકલ ઈમરજન્સી કેસ તરીકે ગણવામાં આવે છે. આ ઘટના દુર્લભ છે પરંતુ તેનો મેડિકલ સાયન્સમાં પણ ઉલ્લેખ કરેલ છે. જો તેનો ઈલાજ સમયસર ન મળે તો તે ઘાતક બની શકે છે. મધમાખીના ડંખના બાદ આ કારણોસર મૃત્યુ થવાની સંભાવના રહે છે

કાર્ડિયક એરેસ્ટ
એનાફાઈલેક્સિસની સ્થિતિ એક ગંભીર એલર્જિક રીએક્શન છે. મધમાખીના ડંખમાં ઝેર હોય છે, જે અમુક લોકોમાં ખૂબ જ ઝડપથી એલર્જિક પ્રતિક્રિયા પેદા કરે છે. જો મધમાખી મોંમાં કે ગળાની અંદર જતી રહે તો પૂરા શરીરમાં તેજ એલર્જી રીએક્શન શરુ થવા લાગે છે અને બ્લડ પ્રેશર ઝડપથી ઘટવા લાગે છે. ગંભીર એલર્જિક રીએક્શનને કારણે હૃદયની ગતિ થંભી જાય છે અને કાર્ડિયક અરેસ્ટનો ખતરો વધે છે.

ઓક્સિજનની માત્રા ઘટવી
જો મધમાખી કે કોઈ કીડો શ્વાસ નળીમાં જાય અને ફેંફસા સુધી પહોંચી જાય તો એવી સ્થિતિમાં શ્વાસ બંધ થઈ જાય છે. વાયુમાર્ગમાં સુજન થવાને કારણે ઓક્સિજનનો પ્રવાહ અટકી જાય છે. આ સ્થિતિને હાઈપોક્સિયા એટલે કે ઓક્સિજનમાં ઘટાડો થવો કહેવાય છે. મસ્તિષ્ક અને હૃદયમાં ઓક્સિજન ન મળવાથી હૃદય બંધ પડી જાય છે. 

એનાફિલેક્ટિક શોક
જે લોકોને મધમાખીના ડંખથી એલર્જી હોય તેના માટે આ પ્રકારની ઘટના જાનલેવા સાબિત થઈ શકે છે. આવી પરીસ્થિતિમાં ઘૂંટન મહેસૂસ થવા લાગે છે અને આપાતકાલીન સારવારની જરુર પડે છે. 

લક્ષણો
ગળામાં સોજો અથવા દુખાવાનો અનુભવ થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી કે ગભરાટ થવી. મોઢા, હોઠ કે જીભમાં પણ સોજો આવવો. શરીર પર લાલ ફોડલાં થઈ જવા અને ખંજવાળ થવી. ચક્કર આવે અને વ્ચક્તિ બેભાન થઈ શકે છે. 

જો આ પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાઈ તો શું કરવું?
સંજય કપૂર જેવી સ્થિતિનો સામનો કોઈપણને કરવો પડે તો આવાં 
સમયે સૌપ્રથમ પેનિક ન થવું અને મધમાખીને બહાર કાઢવાની કોશિશ કરવી. આ રીતે ડંખ મારે તેવા કીડાં કે મધમાખી મોં કે નાકમાં ઘુસી શરીરમાં જાય તો તુરંત ડોક્ટર પાસે સારવાર લેવા પહોંચવું. શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તરત જ સીપીઆર આપવું. આ પ્રકારની પરિસ્થિતિમાં ઈમરજન્સી મેડિકલ કેર એટલે કે ઓક્સિજન, આઈવી ફ્યૂડ્સ અને હાર્ટ મોનિટરીંગ વગેરેની જરુર પડી શકે છે. 

ડિસ્ક્લેમર: અહીં આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટી કરતું નથી. તેને અમલમાં મૂકતા પહેલા એક્સપર્ટની સલાહ જરુર લેવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More