Plane Crash: શનિવાર સુધીમાં, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયાના સમાચાર છે. આમાં વિમાનમાં સવાર મુસાફરો અને જમીન પર રહેલા સામાન્ય અમદાવાદી લોકોનો પણ સમાવેશ થાય છે, કારણ કે વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આના કારણે ઘણા ડોકટરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા હતા. ટાટા ગ્રુપે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. હવે પ્રશ્ન એ છે કે શું જમીન પર જીવ ગુમાવનારાઓના પરિવારોને પણ 1 કરોડ રૂપિયાનું વળતર મળશે?
સામાન્ય અમદાવાદીને પણ 1 કરોડ રૂપિયાનું વળતર મળશે?
હિન્દુસ્તાનમાં છપાયેલા અહેવાલ મુજબ ટાટા ગ્રુપના મતે, જે લોકોએ જમીન પર જીવ ગુમાવ્યા (એટલે કે જેઓ વિમાનમાં નહોતા) સામાન્ય અમદાવાદીને પણ 1 કરોડ રૂપિયાના વળતર માટે પાત્ર બનશે. આ સાથે, ટાટા ગ્રુપે જાહેરાત કરી હતી કે તે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના તબીબી ખર્ચ પણ ચુકવશે. તેમના તરફથી ખાતરી કરવામાં આવશે કે ઘાયલોને તેમની જરૂરિયાત મુજબ તમામ સંભાળ અને સહાય મળે.
પ્લેન દુર્ધટના બાદ AIR INDIAના CEOએ પણ વિડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે જે લોકોના મોત થયા છે, તેમને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. જો કે આ મામલો IMA પણ બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે અનુરોધ કર્યો છે કે સહાય અપાશે કે નહિ તેની સ્પષ્ટતા કરવી જોઈએ.
હોસ્ટેલ બિલ્ડિંગનું શું?
ડ્રીમલાઇનર દુર્ઘટનામાં ખરાબ રીતે નુકસાન પામેલા બીજે મેડિકલના હોસ્ટેલ બિલ્ડિંગના સમારકામ માટે પણ ટાટા મદદ કરશે. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મૃત્યુ થયાના અહેવાલ છે. અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો છે. બાકીના 33 જીવ ગુમાવનારા અમદાવાદીઓ અકસ્માત સમયે બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં હાજર હોવાની શક્યતા છે.
નોકરીઓ સહિત અન્ય લાભો વિશે શું?
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટાટા નજીકના સંબંધીઓને નોકરી આપવા જેવા નાણાકીય વળતર ઉપરાંત કોઈ સહાય પૂરી પાડશે, ત્યારે એક અધિકારીએ કહ્યું કે હાલમાં કંઈ નક્કી થયું નથી. અમે હજુ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તપાસ શરૂ થઈ ગઈ છે. ટાટા દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયા ઉપરાંત, અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોને વીમા કંપનીઓ તરફથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે