Health News: આજના વ્યસ્ત જીવન અને ખોટા ખાનપાનને કારણે ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ સહિતની અનેક ગંભીર સમસ્યાઓ સામાન્ય બની રહી છે. જીવનશૈલીના આ રોગોને નિયંત્રિત કરવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. જો કે, આયુર્વેદિક અને પરંપરાગત પદ્ધતિઓમાં, પ્રકૃતિમાં મળતા કેટલાક પાંદડા સવારે ખાલી પેટ ચાવવાથી આ સમસ્યાઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. આ પાંદડા પોષક તત્ત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર છે જે બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે કયા પાંદડા ફાયદાકારક છે.
સવારે ખાલી પેટ આ પાંદડાનું કરો સેવન
કરી પત્તા
કરી પત્તા એટલે કે લીમડામાં ફાઇબરની સારી માત્રા હોય છે, જે બ્લડ સુગરના અવશોષણને ધીમું કરવામાં મદદ કરી શકે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ્સ ગુણ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ખાલી પેટ 4થી 5 લીમડાના પાન ચાવવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
મેથીના પાન
મેથીના પાન ફાઇબર અને અન્ય પોષક તત્વથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. તે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ કેટલાક મેથીના પાન ચાવવાથી ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચોઃ કોરોના બાદ લોકોમાં અચાનક વધી આ બીમારી, દર્દીઓની સંખ્યામાં 15 ટકાનો થયો વધારો
મોરિંગાના પાન
મોરિંગાના પાંદડાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેમાં એવા તત્વો હોય છે જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોરિંગાના કેટલાક પાન ખાલી પેટે ચાવી શકાય છે.
જામુનના પાન
જામુનના ફળની સાથે તેના પાનનો પણ ડાયાબિટીસની પરંપરાગત દવા તરીકે ઉપયોગ થાય છે. જામુનના પાનમાં એન્ટિ-હાઈપરગ્લાયકેમિક ગુણ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે. સવારે ખાલી પેટ જામુનના પાન ચાવવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કડવો લીમડો
લીમડાના પાનનો કડવો સ્વાદ તેના ઔષધીય ગુણનો પૂરાવો માનવામાં આવે છે. લીમડો લોહી સાફ કરી અને ઇંસુલિનના ઉપયોગને સારૂ બનાવવામાં મદદ કરે છે. જે ડાયાબિટીસ કંટ્રોલમાં ઉપયોગી છે. તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે ખાલી પેટ લીમડાના 4-5 પાન ચાવી શકો છો.
તુલસીના પાન
તુલસીને ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ હોય છે. દરરોજ સવારે તુલસીના પાન ચાવવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તે તણાવને ઘટાડવા અને પાચનમાં સુધાર કરવામાં પણ મદદ કરે છે. તુલસીના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે