Home> Health
Advertisement
Prev
Next

ચા-કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરારુપ? જાણો ક્યારે કેટલા કપ ડ્રિંક્સ લેવા...

મોટાભાગના લોકોને સવારે સૌપ્રથમ ચા-કોફીની આદત હોય છે અને આખા દિવસ દરમિયાન કેટલાય કપ પેટમાં જતા હશે તેનો ખ્યાલ રહેતો નથી. આ ગેરફાયદાઓ જાણો, ચા-કોફીનું સેવન ઓછું થઈ જશે.

ચા-કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરારુપ? જાણો ક્યારે કેટલા કપ ડ્રિંક્સ લેવા...

Tea and coffee consumption: આપણે ચા પ્રેમી લોકોને દરેક સીઝનમાં ચાની ચુસ્કી લેતા જોતા હોઈએ છીએ. તેના દિવસની શરુઆત જ ચાથી થાય છે. અમુક લોકોને ચાને બદલે કોફી પીવાની આદત હોય છે. આ પ્રકારના હોટ ડ્રિંક્સથી આપણા મન અને શરીરને ઉર્જા મળતી હોય તેવું લાગે છે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે વધુ પડતુ ચા કે કોફીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર તેની ખતરનાક અસર થઈ શકે છે. 

fallbacks

શું નુકસાન થઈ શકે છે?
નૅશનલ લાઈબ્રેરી ઓફ મૅડિસિનના અધ્યયનો દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે વધારે ચા અને કોફી પીવાથી ડાયાબિટીસ થઈ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જે લોકો દિવસમાં બે વખત વઘારે ખાંડવાળી ચા અને કોફી પીવે છે તેમને ડાયાબિટીસની સાથે મોટાપાની તકલીફ પણ ઉભી થાય છે. જે લોકો સોફ્ટ કોલ્ડ ડ્રિંક્સનું પણ વધુ સેવન કરે છે તેમને મોટાપાની સાથે ટાઈપ-2 ડાયાબિટીસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સના સેવન પર તો અનેક રીસર્ચ કરવામાં આવ્યા છે. અન્ય સૂક્ષ્મ પહેલુઓ પર પ્રયોગ કરી ટીઆઈએફઆરના સંશોધક પ્રો. ઉલાસ એસએ જણાવ્યુ કે ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સમાં સુક્રોઝનું પ્રમાણ હોય છે જે આપણા શરીરની માંસપેશીઓ, લીવર અને આંતરડાઓને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. તેમણે કહ્યુ કે લોકોએ ખાંડ વગરની ચા કે કોફી પીવાની આદત બને તેવી કોશિશ કરવી જોઈએ અને સોફ્ટ ડ્રિંક્સથી તો જેટલા દૂર રહીએ તેમાં જ ભલાઈ છે. જે લોકોને દિવસમાં 6-7 કપ ચા કે કોફીની આદત છે તેમને ગંભીર નુકસાન પહોંચે તેવી પૂરી શક્યતા રહે છે. આવા લોકોને પેટમાં અપચો, ગેસની સમસ્ચા થઈ શકે છે. આ ઉપરાંત શરીરમાં કેલેરીનું  પ્રમાણ વધવા લાગે છે. પરિણામે, વજન અને કોલેસ્ટ્રોલ વધે છે. 

ક્યા સમયે ચા-કોફી લેવી?
પ્રતિદિન 3 કપથી વધુ કોફી કે ચા ન પીવી. ICMRના રિપોર્ટસ કહે છે કે એક દિવસમાં કૅફીનનું પ્રમાણ 300 મિલીગ્રામથી વધુ ન હોવું જોઈએ. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલ રીસર્ચ અનુસાર જે લોકો દિવસમાં 3 કે તેનાથી વધુ કપ ચા અથવા કોફી પીવે છે તેની તુલનામાં જે લોકો દિવસમાં માત્ર એક કપ કે તેથી પણ ઓછું ચા-કોફીનું સેવન કરે છે તેમને હૃદયરોગના હુમલાની શક્યતાઓ 21 પ્રતિશત ઘટી જાય છે. ઘણા લોકો જમવાનું સહેલાઈથી પચી જશે તેવી ખોટી ધારણા રાખી ભોજન સમયે કે તરત પછી ચા પીવે છે પરંતુ ICMR કહે છે કે આ આદત સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. ભોજન ભાદ ચા પીવાથી ચર્બી ઓગળી જશે તે વાત તદ્દન ખોટી છે. ચા-કોફીમાં મૌજૂદ કૅફિન માનસિક વિકારોનું પણ કારણ બને છે. 

આ ઉપરાંત વિશેષજ્ઞોનું કહેવું છે કે ભૂખ્યા પેટે ચા ન પીવી. આ આદતથી એસિડિટીની તકલીફ થાય છે. હળવો ખોરાક લીધા બાદ ચા-કોફીનું સેવન કરવું યોગ્ય રહે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ જાળવી રાખવા માટે વિશેષજ્ઞો ફળ, લીલા શાકભાજીઓ, આખા અનાજ જેવા સ્વસ્થ ખાદ્યપદાર્થોનો જ વિકલ્પ પસંદ કરવાનું જણાવે છે. 

Disclaimer: અહીં આપેલ માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અમલમાં મૂકતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી. ZEE 24 ક્લાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More