IRCTC Account Close: રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTC એ 2 કરોડથી વધુ નકલી એકાઉન્ટ બંધ કરી દીધા છે. IRCTC એ અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમના એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરે, જેથી તેમનું એકાઉન્ટ સુરક્ષિત રહે અને ટિકિટ બુકિંગમાં કોઈ સમસ્યા ન આવે.
રેલ્વેએ આધાર વેરિફાઇડ એકાઉન્ટ્સ પર તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે 10 મિનિટનો વધારાનો સમય આપવાની પણ જાહેરાત કરી છે, જેથી નિયમિત મુસાફરો સરળતાથી ટિકિટ બુક કરી શકે. બીજી તરફ, જે એકાઉન્ટ્સ આધાર સાથે લિંક નથી તે બંધ થવાની સંભાવના છે અને તેઓ ટિકિટ બુકિંગ સેવાનો લાભ લઈ શકશે નહીં.
છેલ્લા છ મહિનામાં, IRCTC એ AI આધારિત ટૂલ્સની મદદથી એવા એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને બંધ કર્યા છે જેમણે બોટ્સ અથવા ઓટોમેટેડ ટૂલ્સ દ્વારા ટિકિટ બુક કરાવી હતી. IRCTC ના કુલ 13 કરોડ એકાઉન્ટ્સમાંથી ફક્ત 1.2 કરોડ એકાઉન્ટ્સ જ આધાર સાથે વેરિફાઇડ છે. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે આધાર વેરિફાઇ ન કરાવનારા એકાઉન્ટ્સની કડક તપાસ કરવામાં આવશે અને જો જરૂર પડશે તો તેને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
આધાર લિંકિંગ જરૂરી છે, ટિકિટ બુકિંગમાં સુવિધા મળશે
રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે. તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન આધાર લિંક્ડ ખાતાધારકોને વધારાની 10 મિનિટ મળશે. તે જ સમયે, એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી મુસાફરો સીધી સુવિધા મેળવી શકે.
આધાર કાર્ડને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાના સરળ સ્ટેપ્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે