Home> Health
Advertisement
Prev
Next

Urine In Night Can Be A Problem: રાત્રે પેશાબ જવા ઉઠતા હોય તો, આ 3 વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર પસ્તાવું પડશે

સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકોએ મીઠાનું સેવન ઓછું કર્યું છે તેમને પણ રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યામાંથી રાહત મળી છે. બ્રિટનમાં ડોક્ટર્સનું પણ કહેવું છે કે આ સમસ્યાના લક્ષણોને યોગ્ય આહારથી ઘટાડી શકાય છે.

Urine In Night Can Be A Problem: રાત્રે પેશાબ જવા ઉઠતા હોય તો, આ 3 વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર પસ્તાવું પડશે

હેલ્થ ડેસ્ક: જાપાનના ડૉક્ટરોનું કહેવું છે કે જેમને વારંવાર પેશાબ કરવા માટે રાત્રે જાગવું પડે છે, તેમણે પોતાના આહારમાં મીઠાની માત્રામાં ઘટાડો કરવો જોઈએ. આ સમસ્યાને નૌક્ચુરિયા (Nocturia) કહેવામાં આવે છે. આની અસર 60 વર્ષની ઉંમર પછી લોકો પર થાય છે. જેના કારણે લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થાય છે.

fallbacks

સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકોએ મીઠાનું સેવન ઓછું કર્યું છે તેમને પણ રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યામાંથી રાહત મળી છે. બ્રિટનમાં ડોક્ટર્સનું પણ કહેવું છે કે આ સમસ્યાના લક્ષણોને યોગ્ય આહારથી ઘટાડી શકાય છે. નાગાસાકી યુનિવર્સિટીના ડોકટરોએ લંડનમાં યુરોપિયન સોસાયટી ઓફ યુરોલોજી કોંગ્રેસમાં તેમના અભ્યાસના પરિણામો રજૂ કર્યા છે.

fallbacks

જો રાત્રે વધારે પેશાબ આવે તો ધ્યાન રાખો, બની શકો છો આ બીમારીનો શિકાર 
જે દર્દીઓ વધુ મીઠું ખાય છે તેઓને ઊંઘની સમસ્યાથી પીડાતા હોવાનું જાણવા માટે ત્રણ મહિના સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારા આહારમાં મીઠું ઓછું કરો. જેમણે નિયમોનું પાલન કર્યું તે દર્દીઓમાં વારંવાર પેશાબ કરવાની આદત ઘટી ગઈ છે. જે લોકો રાત્રે બેથી વધુ વખત પેશાબ કરતા હતા તેઓ માત્ર એક જ વાર ગયા હતા. તેની અસર દિવસ દરમિયાન પણ દેખાતી હતી અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થયો હતો. 

fallbacks

તમારું પેશાબ કહેશે કે તમે શું ખાવ છો
આ અભ્યાસમાં 98 લોકોને વધુ પડતું મીઠું ખવડાવવામાં આવ્યું હતું અને તેની અસર બિલકુલ વિપરીત જોવા મળી હતી. પેશાબ કરવા માટે તે રાત્રે ઘણી વાર જાગતા હતા. આ અભ્યાસ હાથ ધરનાર ડો. માત્સુઓ તોમોહિરોએ જણાવ્યું હતું કે આની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે, પરંતુ તે વૃદ્ધોને ચોક્કસપણે મદદ કરશે. તેમણે કહ્યું કે, તમારા આહારને યોગ્ય કરવાથી જીવનમાં ઘણી બાબતોમાં સારું બનાવી શકાય છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના નોક્ટ્યુરિયા નિષ્ણાત પ્રોફેસર માર્કસ ડ્રેક કહે છે કે સામાન્ય રીતે લોકો જેટલું મીઠું ખાય છે તેને નૌક્ચુરિયા સાથે કોઈ લેવાદેવા નથી.

સામાન્ય રીતે ડૉ. પીવાના પાણીની માત્રાને જોતા હોય છે. તમે સૂતા પહેલા કેટલું પાણી પીઓ છો તે પણ મહત્વનું છે. 50 વર્ષની ઉંમર પછી અડધાથી વધુ પુરુષો અને સ્ત્રીઓને પેશાબ કરવા માટે પોતાની નિંદર ખરાબ કરવી પડતી હોય છે. આ સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં એક સામાન્ય સમસ્યા છે. આમાંના મોટાભાગના લોકો દિવસમાં ઓછામાં ઓછા બે વખત જાગે છે. જો તમે રાત્રે બેથી વધુ વખત પેશાબ કરવા માટે ઉઠો તો ઊંઘ ખરાબ થાય છે. આનાથી તણાવ, મૂંઝવણ વધે છે અને ચીડિયાપણું પણ વધે છે.

fallbacks

માત્ર વૃદ્ધ થવાની સાઇટ અસર નથી
ઉંમર સાથે હોર્મોન્સમાં ફેરફાર આવે છે. આ કારણોસર રાત્રે વધુ પેશાબ થાય છે. જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે તેમ તેમ પ્રોસ્ટેટ ગ્રંથિ ઘણી વખત મોટી થાય છે. મોટી પ્રોસ્ટેટ ટ્યૂબ પર દબાણ લાવી શકે છે અને વધુ પેશાબનું કારણ બની શકે છે, પરંતુ તે આખી કહાની નથી. તમે ડાયાબિટીસથી પીડિત છો કે કેમ તે નૌક્ચુરિયા એ તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત છે. તમે હૃદય અથવા ઊંઘની સમસ્યાથી પણ પીડાઈ શકો છો.

કેટલું  મીઠું વધારે છે?
યુકેમાં પુખ્ત વયના લોકોને દરરોજ 6 ગ્રામ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સોડિયમના 2.4 ગ્રામ જેટલું હોવું જોઈએ. બાળકોને ત્રણ વર્ષ સુધી દરરોજ બે ગ્રામ મીઠું ખાવું જોઈએ. સાતથી 10 વર્ષની ઉંમરે તેને 5 ગ્રામ સુધી વધારવી જોઈએ. 11 વર્ષની ઉંમર પછી બાળકોએ પણ દરરોજ 6 ગ્રામ મીઠું ખાવું જોઈએ.

fallbacks

રાત્રે કયા ખોરાકમાં વધુ મીઠું હોય છે?
બ્રેડ અને અનાજના નાસ્તામાં તમે વિચારી શકો તેના કરતાં વધુ મીઠું હોય છે. બેકન, હેમ, ચીઝ, ક્રિસ્પ્સ અને પાસ્તા સોસમાં પણ વધુ મીઠું હોય છે. જ્યારે તમે કોઈપણ પ્રોસેસ્ડ ફૂડ ખરીદો છો, ત્યારે પેકેટ પર 100 ગ્રામ દીઠ મીઠાની માત્રા તપાસવાની ખાતરી કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More