Home> Health
Advertisement
Prev
Next

International Yoga Day: શું છે પીએમ મોદીનું ફિટનેસ સિક્રેટ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની દિનચર્યામાં યોગને પહેલી પ્રાથમિકતા આપે છે. વિવિધ આસનો કરી તેઓ આટલા વર્ષે પણ એક્ટિવ રહે છે. તો જાણીએ કે ક્યાં યોગ આસનો છે જેનાથી આપણે નીરોગી અને સતત કાર્યરત રહી શકીએ છીએ.

International Yoga Day: શું છે પીએમ મોદીનું ફિટનેસ સિક્રેટ?

નરેન્દ્ર મોદીનું આટલા વર્ષે પણ સ્વસ્થ રહેવાનું રહસ્ય યોગાસન છે
આપણે સૌ દર વર્ષે 21 જૂનને 'ઈંટરનેશનલ યોગા ડે' તરીકે મનાવીએ છીએ. આજના સમયમાં માત્ર ભારત જ નહિ પણ પૂરી દુનિયામાં યોગની લોકપ્રિયતા વધી છે. આધ્યાત્મિક રીતે કે પછી માનસિક અથવા શારીરિક રીતે યોગના અનેક ફાયદાઓ છે. આ જ કારણ છે કે યોગ વર્ષોથી લોકોની મનપસંદ પ્રવૃત્તિ રહી છે. આજના દિવસને યોગ દિવસ તરીકે ઓળખવાનો ઉદ્દેશ્ય લોકોમાં તેના મહત્વને ઉજાગર કરવાનો છે. પીએમ નરેંદ્ર મોદી પણ યોગના પ્રશંસક છે. તેઓ તેમની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉંમરે પણ આખો દિવસ એક્ટિવ રહે છે. તો જાણીએ કે તેમનું યોગ રુટિન શું છે.

fallbacks

ત્રિકોણાસન
ત્રિકોણાસન કરવા માટે બંને પગને એકબીજાથી થોડાં અંતર પર રાખો અને વજનને બરાબર રીતે વિભાજીત કરીને ઉભા રહો. હવે જમણા પગને બહારની તરફ ખોલો. હાથોને ફેલાવીને જમણી તરફ વળો. આ રીતે બંને દિશામાં વળીને આ આસન કરવું. ત્રિકોણાસન કરવાથી ડોક, કમર અને પીઠના મસલ્સ મજબૂત બને છે અને શરીરનું બેલેન્સ પણ જળવાય રહે છે. પાચનની તકલીફ હોય તો તે પણ જતી રહે છે.

તાડાસન
આ આસન કરવા માટે સૌપ્રથમ બંને હાથોને સામેની તરફ ફેલાવો અને આંગળીઓની મદદથી બંને હાથને હોલ્ડ કરો. હવે હાથોને ધીમે-ધીમે ઉપર લઈ જઈ પગના પંજા પર ઉભા રહો. દિવસભર બેઠાં રહીને કામ કરતાં લોકોના શરીરનું પોશ્ચર આ આસનથી સુધરી શકે છે. બોડી બેલેંસિંગની સાથે પીઠ દર્દમાં પણ રાહત મળે છે. 

વજ્રાસન
વજ્રાસન કરવા માટે ઘૂંટણથી વળીને બેસવું. પીઠને એકદમ સીધી રાખવી અને બંને હાથને ઘૂંટણ પર રાખવા. વજ્રાસન ખાસ તો પાચન ક્રિયા માટે અસરકારક છે. રોજ આ આસન કરવાથી શરીરમાં લોહીના પ્રવાહમાં પણ ફાયદો રહે છે. 

અર્ધચક્રાસન
અર્ધચક્રાસન માટે સીધા ઉભા રહીને પાછળની તરફ વળી જાઓ અને બંને હાથોને પાછળની તરફ લઈ જાવ. અર્ધચક્રાસન કરવાથી પેટના મસલ્સ મજબૂત બને છે. પેટ અને કમર આસપાસની ચર્બીને બર્ન કરવામાં પણ મદદ મળે છે. આ આસન કરવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. 

ભુજંગાસન
આ આસન કરવા માટે પેટના બળે સૂઈ જાઓ. હવે હથેળીઓને ખંભા પાસે લઈ જાઓ અને માથાને ઉપર કરો. પગ અને કમર સીધી રાખી શરીરને થોડું ઉપરની તરફ લઈ આવો. આ આસન ટેંશન અને થકાનને તરત જ ઉડાડી દે છે. કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને ફેંફસાને પણ સ્વસ્થ રાખે છે. 

ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. અમલમાં મૂકતાં પહેલા એક્સપર્ટની સલાહ જરુર લેવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More